Book Title: Bhagvana Mahavira na Das Upasako
Author(s): Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 166
________________ પરિશિષ્ટ – મહાવીર-શાલકની અંતિમ મુલાકાત ૧૩૭ પીડાથી છદ્મસ્થ અવસ્થામાં જ (એટલે કે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી જિન બન્યા વિના જ) મરણ પામીશ.” ત્યારે ભગવાને તેને કહ્યું, “હે ગોશાલક, હું તારી તજન્ય તેજોલેસ્યાથી પરાભવ પામી છ માસને અંતે મૃત્યુ પામવાનો નથી, પણ બીજાં ૧૬ વર્ષ સુધી જિન તીર્થંકરપણે વિચરીશ; પણ તું પોતે જ તારા તેજથી પરાભવ પામી, સાત રાત્રીને અંતે પિત્તજ્વરથી પીડિત શરીરવાળે થઈને છદ્મસ્થાવસ્થામાં જ મરીશ.” આમ જીવલેણ કજિયા-કંકાસ કરી બેઠેલા આ સમર્થ પુરુષોએ અરસપરસ દીધેલા શાપની વાત હવે શ્રાવસ્તી નગરીમાં ઘેરઘેર વાતને વિષય બની જાય છેઅને બધા તે તે શાપના અવધિની ઉત્સુક્તાથી રાહ જુએ છે. જન કથા કહે છે કે, ગોશાલક તે ત્યારબાદ તરત જ “દિશાઓ તરફ લાંબી દૃષ્ટિથી જોતો, ઉષ્ણ નિસાસા નાખત, દાઢીના વાળ ખેંચ, ડોકને પાછળથી ખંજવાળ, ઢગડા ઉપર હાથ વડે ફડાકા બોલાવતે, હાથ હલાવતા તથા બંને પગ જમીન ઉપર પછાડ હા, હા, હું હણાયો !' એમ વિચારી કુંભારણના હાટમાં પાછા આવ્યો; અને ઉપડેલા દાહની શાંતિ માટે હાથમાં કેરીની ગોટલો રાખી, મદ્યપાન કરતો, માટીના વાસણમાંથી માટીવાળા ઠંડા પાણી વડે શરીરને સિંચ વિહરવા લાગ્યો.” બીજી બાજુ મહાવીરે પણ પોતાના સાધુઓને છૂટ આપી દીધી કે, હે આર્યો! હવે તમે ખુશીથી ગોશાલકની સામે તેના મતથી પ્રતિકૂલપણે વિસ્મૃત અર્થનું તેને સ્મરણ કરાવો; અને ધર્મ સંબંધી તેને તિરસ્કાર કરે; તથા અર્થ-હેતુ-પ્રશ્ન-ઉત્તર-અને કારણ વડે પૂછેલા પ્રશ્નનો ઉત્તર ન આપી શકે તેમ તેને નિરુત્તર કરે. ગશાલક આથી વધુ ગુસ્સે થયો તથા ચિડાયે; પરંતુ હવે તે નષ્ટતેજ થયો હોવાથી તે સાધુઓને કાંઈ ઈજા ન કરી શક્યો. આથી કેટલાય આજીવિક સ્થવિરો ગોશાલકનો ત્યાગ કરી શ્રમણ ભગવાનને આશરે આવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174