Book Title: Bhagvana Mahavira na Das Upasako
Author(s): Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 169
________________ ૧૪૦ ભગવાન મહાવીરના દશ ઉપાસકો નગરમાં રેવતી નામે ગૃહપત્ની છે તેને ત્યાં જા. તેણે મારે માટે રાંધીને ભોજન તૈયાર કરેલું છે. તેને કહેજે કે, મારે તે ભોજનનું કામ નથી, પરંતુ તેણે પોતાને માટે જે ભોજન તૈયાર કરેલું છે, તે મારે માટે લઈ આવ.” આ સાંભળી સિંહ રેવતીને ઘેર ગયો, અને મહાવીરના કહ્યા મુજબ તેની પાસે ભિક્ષા માગી. ભેજન વિષેની પોતે જ જાણતી વાત આમ દૂરથી જાણ લેનારા મહાવીર પ્રત્યે રેવતીને બહુ ભાવ ઉત્પન્ન થયો; અને તેણે ખુશીથી મહાવીરે મંગાવેલી ભિક્ષા આપી. પછી મહાવીર ભગવાને તે ભક્ષાને આસક્તિરહિતપણે તથા સાપ દરમાં પિસે તેમ (મમાં સ્વાદ માટે મમળાવ્યા વિના) શરીરરૂપી કેડામાં નાખી. પછી તેમનો તે પીડાકારી રે તરત શાંત થયો, અને દેવ–મનુષ્યાદિ સમગ્ર વિશ્વ અત્યંત સંતુષ્ટ થયું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174