________________
૧૨૯
ભગવાન મહાવીરના દશ ઉપાસકે. પછી ભગવાને પિતાના નિર્મને બોલાવીને કહ્યું કે, ગોશાલકે મારે વધ કરવા જે તેલેશ્યા કાઢી હતી, તે અંગ-વંગમગધ-મલય-માલવ-અચ્છ-વત્સ-કૌત્સ-પાટ-લાટ-વા-મૌલી-કાશી-કેશલઅબાધ અને સંભુક્તર એ સેળ દેશનો ઘાત કરવા માટે, વધ કરવા માટે, અને ભસ્મ કરવા માટે સમર્થ હતી.
વળી હે આર્યો! ગોશાલક અત્યારે નીચેની આઠ છેક છેલ્લી –ચરમ વસ્તુઓનો સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે કે, એ આઠ વસ્તુઓ ફરી દુનિયામાં બનવાની નથી. પોતે કરે છે તે છેલ્લું – ચરમ મદ્યપાન; પિતે કરે છે તે છેલ્લું – ચરમગાન; પોતે કરે છે તે છેલ્લું –ચરમનાથ; પિતે (હાલાહલા કુંભારણને) કરે છે તે છેલ્લું – ચરમ અંજલિકર્મ; હાલમાં થયેલી આંતવૃષ્ટિ રૂપ ચરમ પુષ્કલસંવર્ત મહામેઘ વૈશાલીના યુદ્ધમાં માર્યા ગયેલા હદલવેહલ્સના હાથીરૂપ ચરમ સેચનક ગંધહસ્તી; વૈશાલીના યુદ્ધ દરમ્યાન થયેલ ચરમ મહાશિલાકંટક મહાસંગ્રામ; અને આ અવસર્પિણીના ચોવીસ તીર્થંકરમાં છેક છેલ્લે–ચરમ તીર્થકર (ગોશાલક પોતે). . “વળી તે ચાર પાનક અને ચાર અપાનકનો સિદ્ધાંત આ પ્રમાણે પ્રતિપાદિત કરે છે: ચાર પાનક–પીણું–તે આ પ્રમાણે ગાયના પૃષ્ઠથી પડેલું (મૂતર?); હાથથી મસળેલું (કુંભાર ઘડે બનાવતાં જે પાણીમાં હાથ બળી ઘડાને લીસે કરે છે તે); સૂર્યના તાપથી તપેલું; અને શિલાથી પડેલું. ચાર અપાનક એટલે કે પીવા માટે નહીં પણ દાહ શમાવવા સારુ સ્પર્શાદ માટે વાપરવાની શીતલ વસ્તુઓ – તે આ પ્રમાણે : પાણીથી ભીનાં વાસણ તે સ્થાપિાણ; કેરી, બોર વગેરે માં વડે ચાવે પણ તેનો રસ ન પીએ તે ત્વચા પાણી; તેવું જ શીગનું પાણી અને ચોથું શુદ્ધ પાણી – તેની વ્યાખ્યા આ પ્રમાણે છે: છ માસ સુધી શુદ્ધ ખાદિમ (મે વગેરે) આહાર જ ખાય; તેમાં બે માસ સુધી ભૂમિશગ્યા કરે; બે માસ સુધી લાકડાની પથારી કરે; તથા બે માસ સુધી દાભની પથારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org