________________
૧૩૪
ભગવાન મહાવીરના દશ ઉપાસકો અને ૧૬ વર્ષ જિન તરીકે. છદ્મસ્થ તરીકેનાં આઠ વર્ષમાંથી છ વર્ષ ગશાલક મહાવીરની સાથે રહ્યો, અને બે વર્ષ એકલે રહ્યો.
ગશાલકથી છૂટા પડ્યા બાદ મહાવીર ૪ વર્ષ વધુ સ્વસ્થ તરીકે રહ્યા. ગોશાલકે મહાવીરથી છૂટા પડ્યા બાદ બે વર્ષમાં જ જિનપણું ધારણ કર્યું. અર્થાત મહાવીરથી બે વર્ષ પહેલાં તેણે પોતાનું જિનપણું જાહેર કર્યું. છૂટા પડ્યા બાદ શ્રાવસ્તીમાં જ્યારે તે બંને પહેલીવાર અને છેલ્લીવાર ભેગા થયા ત્યારે મહાવીરને જિનપણું ધારણ કર્યો ૧૪ વર્ષ થયાં હતાં, અને ગોશાલકને ૧૬ વર્ષ. અને આ મુલાકાત મહાવીરના પ૬મા વર્ષમાં (૩૦+૧+૧=૫૬) આવે.
કલ્પસૂત્ર ચેખું જણાવે છે કે, મહાવીરે શ્રાવસ્તીમાં એક જ ચાતુર્માસ કર્યો છે. અર્થાત ગોપાલક શ્રાવસ્તીમાં જ પિતાનું મથક બનાવીને રહ્યો હોય તે દરમ્યાન મહાવીર તે તરફ વર્ષો સુધી ગયા જ નથી.
૪. મહાવીર-શાલકની અંતિમ મુલાકાત મહાવીર શ્રાવસ્તીમાં આવ્યા ત્યારે, ગોશાલકની જિન, કેવલી અહંત, સર્વજ્ઞ આદિ તરીકેની ખ્યાતિ સાંભળી, તેમણે જાહેર કરવા માંડ્યું કે, એ તો ભિક્ષુક જાતિને–તથા હલકા કુળનો છે; મારી પાસેથી તેલેસ્થા પ્રાપ્ત કરવાની વિધિ શીખીને તેણે તે જરૂર પ્રાપ્ત કરી છે; તથા છ દિશાચર મુનિઓ પાસેથી અષ્ટાંગ મહાનિમિત્તનું જ્ઞાન મેળવ્યું હોવાથી, લાભ-અલાભ, સુખ-દુ:ખ, અને કવિત–મરણ એ છ બાબતોના સાચા ઉત્તર પણ જરૂર આપે છે; પરંતુ તે પોતે જિન તે નથી જ થયો. એટલે તે પોતાને જિન તરીકે ઓળખાવે તે ખોટું છે.
ગશાલકે ગામમાં ભિક્ષા માગવા આવેલા મહાવીરના શિષ્ય આનંદમુનિને બેલાવીને જણાવ્યું, “હે આનંદ! તારા ધર્માચાર્ય ને ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્રે ઉદાર અવસ્થા પ્રાપ્ત કરી છે, અને દેવ–મનુષ્યાદિમાં તેમની કીર્તિ અને પ્રશંસા થયેલી છે; પણ જે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org