Book Title: Bhagvana Mahavira na Das Upasako
Author(s): Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 156
________________ શું હું અથામાં સંત આ પરિશિષ્ટ – શાલકને આજીવિક સિદ્ધાંત ૧૨૭ પરંતુ આટલી સાદી સીધી વાત ઉપરથી નિયતિવાદ ઉપર કૂદી જતાં વાર નથી લાગતી. જે બધા જીવો અંતે મુક્ત થવાના જ હેય, તો આજે મુક્ત થવા પ્રયત્ન કરે કે ન કરે, બધું સરખું જ છે. ભલેને ચોરાસી લાખનું ચક્કર હોય, પરંતુ છેવટે તો તે પૂરું થવાનું જ છે; તે અત્યારે જે કાંઈ સુખ–દુઃખ આવી મળે, તે નિરાંતે ભોગવ્યા જ કરીએ, તો પણ શું ખોટું? આવા સ્વરૂપમાં જ ગોશાલકને આજીવિક સિદ્ધાંત જૈન તેમજ બૌદ્ધ ગ્રંથમાં સંઘરાયો છે. આ ઉપાસકદશાંગસૂત્રમાં (અધ્ય) ૬) ગોશાલકની ધર્મપ્રજ્ઞપ્તિ આ શબ્દમાં સંઘરી છે: “મંખલિપુત્ત ગોશાલની ધર્મપ્રજ્ઞપ્તિ સુંદર છે; તેમાં ઉત્થાન, કર્મ, બલ વીર્ય કે પુરુષકાર – પરાક્રમ નથી, તેમજ બધા ભાવ નિયત છે. શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ સુંદર નથી; કારણ કે, તેમાં ઉત્થાન, કર્મ, બલ, વિર્ય, અને પુરુષકાર-પરાક્રમ છે, તેમ જ બધા ભાવ અનિયત છે.” બાદ્ધગ્રંથોમાં જણાવ્યું છે: [મખલિ ગોશાલનું એવું કહેવું હતું કે, પ્રાણુઓની અપવિત્રતાનું કંઈ પણ કારણ નથી. કારણ સિવાય પ્રાણુ અપવિત્ર થાય છે. હેતુ સિવાય, કારણ સિવાય જ પ્રાણી અપવિત્ર થાય છે. પ્રાણીઓની શુદ્ધતામાં કાંઈ પણ હેતુ નથી, કાંઈ પણ કારણ નથી. હેતુ સિવાય, કારણ સિવાય જ પ્રાણુ શુદ્ધ થાય છે. પોતાના સામર્થ્યથી કાંઈ પણ થતું નથી; પુરુષના સામર્થથી કાંઈ થતું નથી. બલ નથી, વિર્ય નથી; પુરુષના વીર્ય અથવા પરાક્રમમાં પણ કાંઈ નથી. સર્વ સો, સર્વ પ્રાણુ, સર્વ જીવ અવશ, દુર્બલ અને નિવાર્ય છે. તેઓ નસીબ, જાતિ, વૈશિષ્ટથ અને સ્વભાવથી બદલાય છે; અને છમાંથી કોઈ પણ જાતિમાં રહી સર્વ દુઃખને ઉપભોગ લે છે. “આ શીલ, વ્રત, તપ અથવા બ્રહ્મચર્યથી અપરિપકવ થયેલાં કર્મોનાં ફળને ભોગવી તેમને નહીં જેવાં કરી નાખીશ' એવું જે કંઈ કહે, તે તે થવાનું નથી. આ સંસારમાં સુખદુઃખ પરિમિત પાલીથી માપી શકાય એ રીતે ઠરાવેલાં છે; અને તે કમીજાસ્તી અથવા વત્તાઓછાં કરાવી શકાય એમ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174