________________
પરિશિષ્ટ-ખલિપુર શાલક ૧૨૫ માખ્યા વિના પિતાની પાસે ઊંચકી આણેલું, કે પિતાને આપવા માટે જ તૈયાર કરેલું અન્ન પણ સ્વીકારતા નથી; કોઈ આમંત્રણ કરે ત્યાં જતા નથી; રાંધેલા વાસણમાં આણેલું અન્ન સ્વીકારતા નથી; ઊંબરાની, લાકડીની કે સાંબેલાની પેલી તરફ ઊભા રહીને આપેલું અન લેતા નથી; સ્ત્રી પુરુષ જમવા બેઠા હોય ત્યારે તેમાંથી એકે ઊડીને આપેલી ભિક્ષા લેતા નથી; ગર્ભિણી સ્ત્રી, છોકરાને ધવરાવતી સ્ત્રી અને પુરુષની સાથે એકાંત સેવતી સ્ત્રીની પાસેથી અન્ન લેતા નથી; નેવાં પડતાં હોય એવી જગ્યાએ ઊભા રહીને, કૂતરાની પાસે ઊભા રહીને, કે જ્યાં ઘણું માખીઓ હોય. તેવી જગ્યાએ ઊભા રહીને ભિક્ષા લેતા નથી (કારણ કે એમ કરે તે તે, તે તે જીવને અન્ન મેળવવામાં વિન આવે); મત્સ્ય-માંસસુરા વગેરે પદાર્થો ગ્રહણ કરતા નથી; એક જ ઘેર ભિક્ષા માગીને એક જ કળિય અન્ન ખાય છે; બે ઘેર ભિક્ષા માગીને બે કોળિયા એમ સાત ઘેર ભિક્ષા માગી સાત કેબિયા અન્ન ખાય છે; એક દત્તિથી, બે દત્તથી . . . એમ સાત દત્તિથી નિર્વાહ ચલાવે છે; એક દિવસે એક વાર, એ દિવસે એક વાર ... એમ સાત દિવસે એક વાર કે પંદર દિવસે એક વાર જમે છે.”
એટલું યાદ રાખવાનું કે ઉપરનું કથન બુદ્ધ આગળ એક જિન (નિર્ગઠપુત્ત) પંડિત કરે છે. પરંતુ ખુદ જન ગ્રંથોમાં જ આજીવિકાની આહાર બાબતમાં કઠેરવા બાબત અનેક ઉલ્લેખ પડ્યા છે. આપપાતિકસૂત્રમાં તેમને “બબે ઘર છોડીને, ત્રણ ત્રણ ઘર છોડીને . . . એમ સાત સાત ઘર છોડીને ભિક્ષા લેવાને નિયમ રાખનારા, તથા ભિક્ષામાં માત્ર કમળદંડ જ લેનારા . . કહ્યા છે; ઠાણાંગસૂત્ર (૪-૨-૩૧૦; પૃ. ૨૩૩) તો તેમને આઠ ટંક વગેરેના ઉપવાસરૂપી ઉગ્ર તપ કરનારા; પિતાની જાતનું ભાન ભૂલી ઘોર તપ કરનારા; ઘી તેલ આદિ વિકૃતિકારક રસપદાર્થોને ત્યાગ કરનારા; અને જીભની લોલુપતા છોડી, ગમે તેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org