________________
૧૦૮ ભગવાન મહાવીરના દશ ઉપાસકે બરાબર પાલન કર્યું. પછી મોટા પુત્રને બધે કારભાર સેંપી, મહાવીર ભગવાન પાસેથી જાણેલા ધર્મમાર્ગ અનુસાર બ્રહ્મચર્ય સાથે તે પાષધશાળામાં રહેવા લાગ્યો. [૨૬-૨૭૦)
શ્રમણોપાસકની સ્થિતિમાં તે કુલ ૨૦ વર્ષ સુધી રહ્યો અને છેવટે મારણાંતિક સંખનાને સ્વીકારીને, સમાધિપૂર્વક મરણ પામી, અરુણગવ વિમાનમાં દેવ થયા. ત્યાંથી ચવીને મહાવિદેહવાસ પામી, તે સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે. [૭૧]
૧૦
સાલિહીપિયા શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજા હતા. ત્યાં સાલિહીપિયા નામે ગૃહપતિ ફાગુની ભાર્યો સાથે રહેતો હતું. તેની પાસે ચાર કરોડ (પાલી) નું નિધિ તરીકે સંઘરામાં, ચાર વ્યાજે અને ચાર ઘરવાપરમાં હતું. ઉપરાંત દસ હજાર ગાયોને એક એવા ચાર વ્રજે હતા. ર૭ર-૩
તેણે કાષ્ટક ચેત્યમાં આવેલા ભગવાન મહાવીર પાસે આનંદની પેઠે ગૃહિધર્મ સ્વીકાર્યો અને કામદેવની પેઠે પિતાના જ્યેષ્ઠ પુત્રને કારભાર સોંપી, ભગવાન મહાવીર પાસેથી જાણેલા ધર્મમાગ અનુસાર તે પાષધશાળામાં રહેવા લાગ્યું. તેણે શ્રમણોપાસકની અગિયારે પ્રતિમાઓને કંઈ પણ બહારના વિક્ષેપ વિના બરાબર પાર કરી. તે પ્રમાણે શ્રમણોપાસકની સ્થિતિમાં તે ૨૦ વર્ષ રહ્યો અને છેવટે મારણાંતિક સંલેખન સ્વીકારીને સમાધિપૂર્વક મરણ પામી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org