________________
૧૧૬ ભગવાન મહાવીરના દશ ઉપાસકે પડે છે એ સમજાવવા માટે અને વ્રતનું ગાંભીર્ય ખ્યાલમાં આણવા માટે વ્રતોના અતિચારે બતાવવામાં આવ્યા છે. વ્રત પાળવાની બુદ્ધિવાળા માણસ તે આ અતિચારેને વ્રતના ઘાતક જ સમજે. અતિચારનો અર્થ પણ આચારનું ઉલ્લંઘન જ થાય છે. હિ. ન. પઃ ખેટા લેખ ન કરવા
મૂળમાં મૃષાવાદત્યાગના વ્રતને લગતા જે પાંચ અતિચારો જણાવ્યા છે તેમના કરતાં જુદા પણ બીજા પાંચ અતિચાર આ સૂત્રની બીજી વાચનામાં મળે છે એમ ટીકાકાર લખે છે. તે આ પ્રમાણે છે:- (૧) કન્યાલીક -- કન્યાની લેણદેણના પ્રસંગમાં કે કોઈ પણ મનુષ્યની લેણદેણના પ્રસંગમાં તેને વિષે ખોટી વાત કહેવી. (૨) ગવાલીક – પશુમાત્રના લેણદેણના પ્રસંગમાં તેને વિષે ખોટી વાત કહેવી. (૩) ભૂમ્પલીક - જમીનની લેણદેણના પ્રસંગમાં તેને વિષે બેટી વાત કહેવી. (૪) ન્યાસાપહાર – કોઈની થાપણુએાળવવી. (૫) કૂટસાક્ષી – ખોટી સાક્ષી પૂરવી. વળી ટીકાકાર લખે છે કે “આવશ્યક” વગેરેમાં આ પાંચને ધૂળ મૃષાવાદના ભેદો ગણાવેલા છે. આચાર્ય હરિભદ્ર પિતાના પંચાશકના મૂળની ૧૧મી ગાથામાં આ પાચેને મૃષાવાદના ભેદો તરીકે બતાવેલ છે. ટિ નં. ૧ ચક્કસ સ્મૃતિ રાખવી
દિગ્ગતના જે પાંચ અતિચારે બતાવવામાં આવ્યા છે તેમાંના છેલ્લા બેને કોઈ પ્રતિમાં એક જ અતિચાર ગણવામાં આવ્યો છે અને તેની પહેલાં “ચાર દિશાના પ્રમાણનો અતિક્રમ” એવો ચોથો અતિચાર વધારવામાં આવ્યું છે. આ જાતનું પાઠાંતર હોર્નેલની ઉપાસકની આવૃત્તિમાં મૂકેલું છે. પણ ટીકાકારે તે વિષે કાંઈ લખેલું નથી. ટિ નં. ૭ઃ કર્માદાને
જે પ્રવૃત્તિ કરવામાં સંયમને અવકાશ જ ન રહે તેનું નામ કર્માદાન છે. જે પ્રમાણે કર્માદાનની પ્રવૃત્તિ કરવાનો નિષેધ સૂત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org