________________
૧૧૮ ભગવાન મહાવીરના દશ ઉપાસકે હિ. ન. ૧૦ઃ મહાવિદેહવાસઃ
એવી જન માન્યતા છે કે, મહાવીરના નિર્વાણ પછી તરત જ જે ૨૧૦૦૦ વર્ષનો દુઃષમા કાળ બેઠે છે, તેમાં મહાવીર પછીના ત્રીજા આચાર્ય જંબુસ્વામી નિર્વાણ પામ્યા પછીથી આ અવસર્પિણીચક્ર પૂરતું આ ક્ષેત્રમાંથી કેવળજ્ઞાન લુપ્ત થઈ ગયું છે. અર્થાત્ હવે કાળનું આ ચક્ર પૂરું થઈ ઉત્સપિણુચક્ર શરૂ થાય ત્યાં સુધી કોઈ જ કેવળજ્ઞાની, તીર્થકર કે મુક્ત થઈ શકે નહીં. માત્ર એક મનુષ્યજન્મ બાકી રહે તેવી નિર્મળ સ્થિતિ જ અહીં પ્રાપ્ત થઈ શકે. પરંતુ તે બાકીને જન્મ પણ ભરતક્ષેત્રને બદલે મહાવિદેહક્ષેત્રમાં થાય, કે જ્યાં દુઃષમસુષમા નામને કાળ સ્થાયીભાવે પ્રવર્તે છે. તેથી ત્યાં તીર્થકર, કેવળજ્ઞાન, મોક્ષ વગેરે સંભવી શકે છે.
વિદેહ ક્ષેત્ર જ બુદ્દીપની મધ્યમાં આવેલું છે. (ભરત છેક દક્ષિણે છે; અને તેવાં કુલ સાત ક્ષેત્રો છે.) તે ક્ષેત્ર સાથી મોટું હોઈ મહાવિદેહ કહેવાય છે. જે બુદ્દીપની નાભિરૂ૫ મેરુ પણ વિદેહની મધ્યમાં જ આવેલો છે. વિદેહમાં પણ ઉત્તરકુર અને દેવકુર નામનાં બે ક્ષેત્રમાં નિરંતર સુષમસુષમા (સત્યયુગ જેવો) કાળ ચાલ્યા કરે છે. પણ બાકીનાં ક્ષેત્રે કર્મભૂમિ હોવાથી તેમાં દુઃખમસુષમાં કાળ પ્રવર્તે છે. તે ક્ષેત્રો “વિજય’ કહેવાય છે. ટિ. નં. ૧૧: આલબિકા
ભગવાન મહાવીરના વિહારવર્ણનમાં આલલિકા નગરીનું નામ બે વાર આવે છે. ભગવાનનું સાતમું ચોમાસું આ આલભિકામાં થયાનું લખેલું છે. મગધમાં વિહાર કર્યા પછી ભગવાન આભિકામાં આવે છે એ હકીકત આવશ્યકમાં નોંધેલી છે. એથી આલમિકા મગધના સીમાડાની પાસે હોવાનું માલૂમ પડે છે. ત્યાં ચોમાસું પૂરું કરીને ભગવાને તેની પાસેના કુંડાગ નામના સંનિવેશમાં એક દેવળમાં (ગુરુ) ધ્યાન ધરેલું. એ દેવળને “વાસુદેવનું ઘર” તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org