________________
૧૨૦. ભગવાન મહાવીરના દશ ઉપાસકે ઓળખાતી હતી. સ્તૂપના ઉલ્લેખ ઉપરથી માલૂમ પડે છે કે ત્યાં તેમને ભગવાન બુદ્ધના સમારક તરીકે કેઈએ કરેલા હશે.
ઉપરના પુરાવાઓ ઉપરથી એટલું તે સિદ્ધ થાય છે કે અલવી કે આલભિકા કનોજની પાસે આવેલું હોવું જોઈએ.
આવિ નામના કારણ વિષે વિચારતાં તેનું અટવી શબ્દ સાથેનું સામ્ય, ઉરગસુત્તમાં બતાવેલા આવિ નામના જંગલના ઉલ્લેખના આધારે બંધબેસતું આવે એવું છે. ઉચ્ચારની દૃષ્ટિએ પણ અટવીને અટવિ, અવ, માસ્ત્રવિ, ઉચ્ચાર તદ્દન શક્ય છે. આલવિન ગામ ઉચ્ચાર પણ બંધબેસતો જ છે. એટલે જૈન શાસ્ત્રમાં આવેલી આલલિકા તથા આ આલવિ એ બંને આ દૃષ્ટિએ પણ એક જ છે.
મહાવીર સ્વામીએ ત્યાં એક દેઉલમાં ધ્યાન કર્યાની હકીકત ઉપર જણાવી છે. સંભવ છે કે તે જગા પાછળથી દેઉલ નામના ગામથી પણ ઓળખાતી થઈ ગઈ હોય. જેને ફાહ્યાન અલવી કહે છે તેને જ શુએસિંગ નવદેવકુલ નામથી ઓળખાવે છે. ફાસ્થાને અંતર, સ્થાન વગેરેનું જે નિરૂપણ કરેલું છે તે બરાબર હ્યુએસિંગના નવદેવકુલ સાથે મળતું આવે છે. ભગવાન મહાવીરે જ્યાં ધ્યાન કરેલું તે દેઉલ પણ નવદેવકુલ શબ્દ સાથે સામ્ય ધરાવે છે. અત્યારે આનું પ્રસિદ્ધ નામ કનિંગહામના કહેવા પ્રમાણે નેવલ છે. ટિ. નં. ૧૨ઃ સંખલિપુર શાલ:
સંન્યાસીનાં નામે ગણાવતાં અમરકોશમાં મરિન નામ આપેલું છે. તેની વ્યુત્પત્તિ-મશ્નર એટલે જ્ઞાન-તે વાળો; મશ્નર એટલે વાંસડા -દંડ- તે ધારણ કરનાર; મા જ વસ્તુનું શમસ્ય-કર્મ–પ્રવૃત્તિ નહિ કરવાના સ્વભાવવાળો; જેનું મુ–અરીસા જેવું શુદ્ધ ચિત્ત છે તેવો -એમ જુદીજુદી રીતે બતાવેલી છે. મરિનનું પાલીરૂપ મરવરી થાય છે અને મરણત્રીનું અપભ્રષ્ટરૂપ મંખલી થયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org