________________
ટિપ્પણ ટિ નં. ૧ ઉપાસકદશઃ
સમવાયાંગમાં “ઉપાસકદશાને પરિચય આ પ્રમાણે આપ્યો છેઃ
“ઉપાસકદશામાં ઉપાસકનાં શીલવતા, વિરમણ, ગુણવતા, પ્રત્યાખ્યાન (ત્યાગ), પાષધોપવાસો, શ્રુતપરિગ્રહ (શાસ્ત્રાભ્યાસ), પ્રતિમાઓ તથા તેમની આ લોકની અને પરલોકની ઋદ્ધિઓ વગેરે વર્ણવેલાં છે. ઉપરાંત તેઓની ધર્મમાં સ્થિરતા તથા ધર્મમાં આવતાં વિનાની સામે થવાની તેમની અસાધારણ શક્તિ પણ વર્ણવેલી છે.”
તેનું પરિમાણ જણાવતાં તેમાં કહ્યું છે કે –
એ સાતમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, દશ અધ્યયન છે, તથા સંખેય લાખ પદ અને સંખેય અક્ષરે છે.” - નંદીસૂત્રમાં ઉપાસકદશાનું ઉપર જણાવ્યા પ્રમાણેનું જ વર્ણન આવે છે. પણ ઉપાસકદશામાં ઉપાસકોની પ્રત્રજ્યાનો અધિકાર આવે છે એમ પણ તેમાં લખેલું છે. પરંતુ અત્યારે ઉપલબ્ધ પાઠવાળા સૂત્રમાં કોઈ ઉપાસકે પ્રવજ્યા લીધી હોય તેવો અધિકાર આવતો નથી. - ઉપાસકદશાના પદના પરિમાણુ વિષે જણાવતાં તેમાં લખ્યું છે કે “તેમાં સંપેય હજાર પદે છે અને સંખેય અક્ષરે છે.”
દિગંબરામાં આ સૂત્રનું નામ ઉપાસકાધ્યયન છે અને તેમાં શ્રાવકધર્મનું સ્વરૂ૫ વર્ણવેલું છે એમ તેઓ કહે છે. ઉપરાંત ગેમ્સસારની ટીકામાં લખેલું છે કે, “ઉપાસકાધ્યયનમાં શ્રાવકેની અગિયાર પ્રતિમાઓના સંબંધમાં તથા વ્રત, શીલ, આચાર, ક્રિયા અને મંત્રો
૧. પદના સ્વરૂપ વિષે જુએ “ભગવાન મહાવીરની ધર્મકથાઓ' પાન ૧૮૧ ઉપરનું ટિપ્પણ, સમવાયાંગ અને નંદીસૂત્ર – બંનેના ટીકાકારે આ સૂત્રનાં અગિયાર લાખ, બાવન હજાર પદે જણાવેલાં છે.
૧૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org