________________
૭. સદ્દાલપુર
૧૦૧ તે દેવે તેમ કર્યા છતાં જ્યારે સદાલપુર પિતાના વ્રતમાં નિશ્ચળ રહ્યા, ત્યારે તે દેવે ધમકી આપી કે, હજુ જે તું નહીં માને, તે હું તારા ધર્મની સહાયક, ધમની જાણકાર, ધર્મમાં પ્રીતિ રાખનારી, અને તારા સુખદુઃખમાં સમભાગી એવી તારી આ અગ્નિમિત્રા ભાર્યાને ઘરમાંથી તારી સામે લાવી, કાપીને નવ કકડા કરીશ; પછી તેલની કઢાઈમાં તેને તળીશ, અને તેના લોહીમાંસ તારા શરીર ઉપર ખરડીશ; જેથી તે દુઃખી થઈને અકાળે મરી જઈશ. [૨૭]
તે દેવે આમ બે ત્રણ વાર કહ્યું, એટલે સદ્દાલપુરને વિચાર આવ્યું કે, આ અનાર્ય કર્મ કરનારા માણસે મારા પુત્રોને તે મારી નાખ્યા હવે તે મારી પત્નીને પણ તેમ જ મારી નાખવા ઈરછે છે, તે મારે જરૂર તેને પકડ-રોકવો જોઈએ. આમ વિચારી જે તે ઊઠયો કે તરત પેલે દેવ આકાશમાં ચાલ્યો ગયો અને તેના હાથમાં કાંઈ ન આવ્યું. એટલે સદ્દાલપુત્તે મોટે કેલાહલ કરી મૂક્યો. તે કેલાહલ સાંભળી અગ્નિમિત્રા ત્યાં આવી અને તેની પાસેથી બધી વાત સાંભળીને કહેવા લાગી કે, આપણે બધા પુત્ર તેમ જ હું સહીસલામત છીએ. તમને કઈ ભ્રમ થય લાગે છે. માટે તમે પ્રાયશ્ચિત્ત કરીને ફરી વાર વ્રતમાં સ્થિર થાઓ.
પછી તે સદાલપુર ચૂલણાપિતાની પેઠે પ્રાયશ્ચિત્ત કરીને ફરીથી પિતાના વ્રતમાં સ્થિર થયો. અંતે મારણાંતિક સલેખન સ્વીકારી, સમાધિપૂર્વક મરણ પામી, તે સૌધર્મક૯૫ના અરુણભૂત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી
વીને મહાવિદેહવાસ પામી, તે સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે. [૩૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org