________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે લેકે પિતાનાં સત્કર્મોને લીધે, પહેલા વાણિયાની પેઠે, મૂળ મૂડી (મનુષ્યપણા) ઉપરાંત (દેવપણાને) લાભ પામે છે. બીજા સામાન્ય ગૃહ સદાચાર અને સુત્ર આચરી, બીજા વાણિયાની પેઠે મૂળ મૂડી સાથે જ (ફરી મનુષ્યપણું કમાઈ) પાછા આવે છે. ત્યારે અજ્ઞાની અને દુરાચારી લકે, ત્રીજા વાણિયાની પેઠે મનુષ્યપણું પણ હારી બેસે છે, અને નરક કે તિર્યચપણને પામે છે.
“માટે હાનિલાભને વિચાર કરી, મેધાવી પુરુષ પોતાના ઐહિક જીવનને સદુપયોગ કરે.*
ભગવાનનું પ્રવચન સાંભળી, ચૂલણપિતાએ પણ આનંદ ઉપાસકની પેઠે હુષ્ટ, તુષ્ટ અને પ્રસન્ન થઈ ભગવાન પાસેથી બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો.
ત્યાર બાદ શ્રમણોપાસક ચૂલણપતા શ્રાવકધર્મ યથાગ્ય પાળતા અને જન સાધુને ભિક્ષાદિ આપતે રહેવા લાગે.
એમ કરતાં કરતાં અણુવ્રત, ગુણવ્રત વગેરે પાળતાં પાળતાં તેનાં ૧૪ વર્ષ ચાલ્યાં ગયાં, ત્યારે પંદરમા વર્ષને વચગાળે તેણે પણ મહાવીર ભગવાન પાસેથી જાણેલા ધર્મમાર્ગને ઝંઝટ વિના બરાબર પાળી શકાય તે માટે પિતાના મોટા પુત્રને બધાં જ્ઞાતિ-સ્વજનની રૂબરૂમાં બધે વ્યવહાર- ભાર શેંપી દઈ, પૌષધશાળામાં બ્રહ્મચર્ય સહિત પૌષધવ્રત પાળીને, શ્રમણભગવાન મહાવીરે બતાવેલ ધર્મમાર્ગ અનુસાર રહેવા માંડ્યું. [૧૭]
* ઉત્તરાધ્યયન અ૦ ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org