________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે કશે ફેરફાર થઈ શકે તેમ નથી.) પરંતુ શ્રમણભગવાન મહાવીરે બતાવેલ ધર્મમાર્ગ સુંદર નથી, કારણકે, તેમાં એવું નિરૂપણ છે કે, ઉદ્યમ, કિયા, બળ, વીર્ય, પુરુષકારપરાક્રમ જેવી વસ્તુ છે; તેમ જ બધું પહેલેથી હંમેશને માટે નકકી થઈ ગયેલું નથી. (પુરુષાર્થથી તેમાં જરૂરી ફેરફાર થઈ શકે છે, અને દરેક જણે કરવાને છે.) [૧૬૬]
- કુંડલિકે તેને જવાબ આપ્યો – ઉદ્યમ વગેરેમાં ન માનનારો, અને બધું પહેલેથી જ હંમેશ માટે નિયત થઈ ગયેલું છે એમ પ્રરૂપનારે ગોશાલકને ધર્મમાર્ગ સુંદર હોય; અને ઉદ્યમ વગેરેમાં માનનારો, અને બધું પહેલેથી જ હંમેશ માટે નિયત થયેલું ન માનનારે મહાવીરને ધર્મમાગ ખરાબ હોય, તે તેં આ તારી દિવ્ય શ્રી, વૃતિ, અને પ્રભાવ કેવી રીતે પ્રાપ્ત કર્યા? ઉદ્યમથી – પુરુષાર્થથી? કે અનુઘમથી? [૧૬૭].
દેવે જવાબ આપ્યોઃ “હે દેવાનુપ્રિય! મેં આ બધું અનુદ્યમથી મેળવ્યું છે.” [૧૬૮]
કુંડકેલિકે કહ્યું કે જે તેં આ તારી દિવ્ય શ્રી, ઘતિ વગેરે અનુઘમથી જ મેળવ્યું હોય, તે જે છ ઉદ્યમ, બેલ, વિર્ય અને પુરુષકાર-પ્રયત્ન વિનાના છે, તેઓ કેમ તેમના અનુદ્યમથી તારા જેવી દિવ્ય શ્રી, તિ વગેરે મેળવી દેવ બની જતા નથી? તેથી, તું જે કહે છે કે, મખલિપુત્ર ગશાલે બતાવેલ ધર્મમાર્ગ સુંદર છે, અને શ્રમણભગવાન મહાવીરે બતાવેલે અસુંદર છે, તે વાત મિથ્યા છે ! [૧૬]
૧. મહુછી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org