________________
છે. કુડકેલિક તેઓ નાના કે મોટા બધા પ્રાણેને અને સર્વ જગતને પિતાના જેવું ગણે છે. તેઓ જાતે કેઈની હિંસા કરતા નથી કે બીજા પાસે કરાવતા નથી. સર્વ કાળ જિતેંદ્રિય અને મોક્ષમાર્ગમાં તત્પર રહી, તેઓ વીરપદ પામ્યા હોય છે. આ મહા ગહન સંસારમાં તેઓ જ માત્ર જાગતા હોય છે. તેમને શબ્દ-સ્પર્શ વગેરે વિષયોમાં આસક્તિ કે દ્વેષ નથી. તેમ જ જીવન-મરણની પણ કામના હતી નથી. સંયમથી સુરક્ષિત એવા તે પુરુષ, પિતાની મેળે કે બીજા પાસેથી સત્ય જાણું, આ સંસારમાંથી મુક્ત થયા હોય છે. તેઓ જ કિયાવાદને ઉપદેશ આપવાને તેમ જ બીજાને સંસારસમુદ્રમાંથી બચાવવાને શક્તિમાન થાય છે, એમ હું કહું છું.”૧
ધર્મકથા પૂરી થયા બાદ, કુંડકેલિકને સંબોધીને તેમણે કહ્યું: “હે કુંડલિક ! કાલે બપોરને સમયે અશેકવનિકામાં એક દેવે આવીને તને આમ આમ કહ્યું, અને તે તેને આમ આમ જવાબ આપ્યો, એ વાત ખરી ?”
કુંડકેલિકે કહ્યું, હા ભગવદ્ ! ખરી છે !
પછી “આ” એમ કહીને શ્રમનિ તથા નિગ્રંથીએને સંબોધીને તેમણે કહ્યુંજ્યારે ઘરમાં રહેનારા આવા ગૃહસ્થ અર્થ, હેતુ, પ્રશ્નો, કારણ અને ખુલાસા વડે અન્ય સંપ્રદાયના માણસને નિરુત્તર કરી શકે છે, તે હે આર્યો! બાર અંગવાળું ગણિપિટક ભણનારા તમે શ્રમણનિગ્રંથ
૨. અન્યતીથિંકાને.
૧. સૂત્રતાંગ અધ્ય. ૧૨, ૧૧ ૨૨. ૩. આચાર્યની પેટીઃ અર્થાત્ શાસ્ત્રસમૂહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org