________________
૭. સદાલપુર સૂવાનું અને અડીંગવાનું પાટિયું, શય્યા તથા બિછાના દ્વારા તેમને નિમંત્રણ કરજે.” આમ બે-ત્રણ વાર કહીને તે દેવ પિતાને સ્થાને ચાલ્યા ગયે. [૧૮૫-૭]
આજીવિકે પાસક સદાલપુત્તને આ સાંભળીને એવો ખ્યાલ બંધાશે કે, જરૂર આવતી કાલે મારા ધર્માચાર્ય ધર્મોપદેશક મંખલિપુત્ત શાલ જ આવવાના હશે. કારણ કે, તે જ મહાબ્રાહ્મણ, જિન, કેવલી, સર્વજ્ઞ વગેરે છે. તે જરૂર હું તેમને વંદન-નમસ્કાર કરીશ, તથા ખાનપાન, વગેરેથી નિમંત્રણ આપીશ! [૧૮૯]
બીજે દિવસે સૂર્યોદય થતાં જ શ્રમણભગવાન મહાવીર ત્યાં સહસ્સામ્ર ઉદ્યાનમાં આવીને ઊતર્યા. પિલાસપુરના લેકે તેમનું ધર્મપ્રવચન સાંભળવા ગયા. [૧૮]
સદ્દાલપુત્ર પણ તેમના આવ્યાની વાત જાણી, નાહીધઈ, શુદ્ધ વસ્ત્રો અને અલંકારો પહેરી, મનુષ્ય સંઘ સાથે તેમનાં દર્શને ગયે. [૧૯]
ભગવાને તે સૌને ધર્મકથા કહી –
“મનુષ્યજન્મરૂપી આ અવસર અનુપમ છે. મનુષ્યજન્મથી મ્યુત થનારને પછી સમ્યગ જ્ઞાન થવું દુર્લભ છે, તેમ જ ધર્મનું રહસ્ય પામી શકે તેવી ચિત્તવૃત્તિ પણ દુર્લભ છે. બીજા કેટલાક વાદીએ ભલે માનતા હોય છે, દેવ લોકો (જ) મેક્ષ પામી શકે છે, પરંતુ લોકેત્તર જૈન સિદ્ધાંતને તે નિર્ણય છે કે, આ મનુષ્યલકમાં જ આપણે ધર્મની આરાધના કરીને કાં તે કૃતકૃત્ય થઈ શકીએ છીએ, અથવા ઉત્તમ ગતિને પામી શકીએ છીએ. માટે મનુષ્યદેહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org