________________
૭. સદ્દાલપુર ભગવાન બેલ્યા: હે સદાલપુર ! જે ઉદ્યમ, બળ, વિર્ય, પરાક્રમ જેવી વસ્તુ જ ન હોય, અને બધા ભાવે હંમેશને માટે નિયત થયેલા જ હેય, તે પછી કોઈએ ચામું, ફેડ્યું, કે તારી સ્ત્રી સાથે વ્યભિચાર કર્યો એમ કહી શકાય નહીં; (કારણ કે, ઉદ્યમ વગેરેથી નવું કશું કઈ વડે કરી શકાતું નથી, અને બધા ભાવ જેમ બનવાના હોય છે તેમ બન્યા કરે છે.) એટલે પછી તું શા માટે તે માણસને મારે કે બાંધે? તે માણસે કંઈ નવું કર્યું જ નથી; બધું પહેલેથી નક્કી હતું તેમ જ થયું છે. છતાં જે તું કેઈ માણસને ચેરવા-ફેડવા બદલ કે તારી સ્ત્રી સાથે
વ્યભિચાર કરવા બદલ મારે કે હણે, તો પછી “ઉદ્યમ, બળ વગેરે વસ્તુઓ નથી, અને બધા ભાવે નિયત જ છે,” એમ તારું કહેવું ખોટું છે! [૨૦૦]
ભગવાને કહેલી આ દલીલ સાંભળીને સદાલપુત્તને સમજણ આવી. [૨૧]
તેણે ભગવાનને વંદન-નમસ્કાર કરીને કહ્યું: “હે ભગવદ્ ! આપની પાસેથી ધર્મ સાંભળવા ઈચ્છું છું.” [૨૨]
પછી ભગવાને તે આજીવિકપાસકને પિતાને સિદ્ધાંત સમજાવ્યું. [૨૩]
શ્રમણભગવાન મહાવીર પાસેથી ધર્મ સાંભળીને સદાલપુર શ્રમણોપાસકે હૃષ્ટ, તુષ્ટ, અને પ્રસન્ન થઈ આનંદની પેઠે ભગવાન પાસેથી બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો, તથા પિતાની પાસે હતી તેટલી ધનસંપત્તિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org