________________
હર ભગવાન મહાવીરના દશ ઉપાસકે અને ભોગતૃષ્ણ વગેરેની મર્યાદા બાંધી લીધી. પછી ભગવાનને વંદન-નમસ્કાર કરીને તે પિલાસપુર નગરમાં પાછો ફર્યો, અને પોતાને ઘેર આવી પોતાની સ્ત્રીને કહ્યું:
હે દેવાનુપ્રિયા ! તું અહીં આવેલા ભગવાન મહાવીર પાસે જા, અને તેમને વંદન-નમસ્કાર કરી, તેમની પાસેથી ધર્મ સાંભળીને પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રતવાળે ગૃહસ્થ ધર્મ સ્વીકારી આવ.” [૨૦]
અગ્નિમિત્રાએ શ્રમણોપાસક બનેલા સાલપુરની એ વાત વિનયપૂર્વક સ્વીકારી. એટલે સદાલપુરે પોતાના કૌટુંબિક
કરેને બેલાવને હુકમ આપે કે, “હે દેવાનુપ્રિયે ! જાઓ અને જલદીથી કુશળ હાંકનારાઓએ જોડેલે રથ જેડાવી લાવે. તે રથને ઉત્તમ, જુવાન, શણગારેલા બળદ જેતર તથા સારી રીતે શણગાર; અને તૈયાર થાય એટલે મને ખબર આપજે!”૩ [૨૬]
૧. યુ -યુવત-યોનિતમ્ “શીઘ્ર છે વેગ જેહને, એહવો રથ તમે જેતર”—એવો અર્થ પણ ટ કરે છે.
૨. ધાર્ષિ ચામર | ધાર્મિક-શુભ-સારા પ્રસંગોએ વાપરવાનું શ્રેષ્ઠ વાહન. મોજશોખ માટે ગમે તે વાહન વાપરે; અમુક વિશિષ્ટ પ્રસંગોએ તે ગંભીર પ્રકારનું – % નું ચાલતું આવેલું – વાહન હોય.
૩. મમ ઘવમાનનિય પ્રજવવિગ૯ – “મારી એ આજ્ઞા મને પાછી આપજો.” એ રથ તથા બળદનાં મૂળમાં નીચેનાં વિશેષણે વધુ છેઃ તે બળદે – કે જેમની ખરીઓ તથા પૂછડું સમાન--સરખાં–મળતાં આવતાં હોય; જેમનાં શીંગડાં અણીદાર તથા ગાંઠા રહિત બરાબર સમાન (મતિ ) હેય; સેનાના તારવાળાં ફૂમતાંવાળાં જોતરાંથી શોભતા, રૂપેરી ઘંટડીઓ (ગળે બાંધેલા સુતરાઉ રાશ તથા સેનાના તારવાળી નાથથી કબજે રખાતા;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org