________________
se
- કુંડલિક બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો. ત્યારબાદ શ્રમણે પાસક કુંડલિક શ્રાવકધર્મ યથાયોગ્ય પાળો અને જૈન સાધુને ભિક્ષાદિ આપતે રહેવા લાગ્યો. [૧૬૩
એક વાર મધ્યાહ્ન સમયે શ્રમણોપાસક કુંડકાલિક અશેકવનિકામાં ગયો. ત્યાં તેણે પિતાની નામમુદ્રા અને ઉત્તરીય વસ્ત્રને ચબૂતરા ઉપર મૂક્યાં. ત્યાર બાદ ભગવાન મહાવીર પાસેથી સ્વીકારેલી ધર્મસાધના અનુસાર તે સાધના કરવા લાગ્યા. [૧૬૪)
તે વખતે એક દેવ ત્યાં પ્રગટ થયો. [૧૫]
તેણે પેલા ચબૂતરા ઉપરથી નામમુદ્રા અને ઉત્તરીય વસ્ત્ર ઉપાડી લીધી અને પછી અંતરિક્ષમાં રહી, પિતાનાં વસ્ત્રની કિનાર ઉપરની ઘૂઘરીઓ રણકાવતો તે બેઃ
હે કુંડલિક શ્રમણોપાસક, સંખલિપુત્ર ગોશાલે બતાવેલો ધર્મમાગ સુંદર છે; કારણ કે, તેમાં એવું નિરૂપણ છે કે, ઉદ્યમ, કિયા, બળ, વીર્ય, પુરુષકાર-પરાક્રમ જેવી કઈ વસ્તુ (શક્ય કે જરૂરી) નથી; તેમ જ બધું પહેલેથી હંમેશને માટે નકકી થઈ ગયેલું છે; (પુરુષાર્થથી તેમાં
૧. નામ કતરેલી મુદ્રા – મહોર. ૨. મૂળ પુઢવિકિપટ્ટા ! કુદરતી શિલાનો નહીં, પણ ચણુને બનાવેલું.
૩. મહાવીરનો સમકાલીન, એક વખત મહાવીરનો શિષ્ય, અને પછી જિનપણમાં મહાવીરનો પ્રતિસ્પધી ગોશાલ, આજીવિક સંપ્રદાયને તીર્થકર હતો. તેની તથા તેની સાથેના મહાવીરના સંબંધની, તેમ જ તેના સિદ્ધાંત અંગેની વિગતો માટે જુઓ આ પુસ્તકને અંતે પરિશિષ્ટ,
૪. “ઉત્થાન” ઊઠવું –- પ્રયત્નશીલ થવું તે. ૫. વીર્મ.
૬. નિયતા સર્વેમાવાઃ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org