________________
ચૂલણીપિતા આર્ય સુધર્મ કહે છે –
વારાણસી નગરીમાં જિતશત્રુ રાજાનું રાજ્ય હતું. ત્યાં ચૂલપિતા નામે ગૃહસ્થ તેની શ્યામા નામની ભાય સાથે રહેતું હતું. તેની પાસે આઠ કરેડ (પાલી જેટલું) સેનું નિધિ તરીકે સંઘરામાં હતું, આઠ કરોડ વ્યાજે, અને આઠ કરોડ ઘરના વાપરમાં હતું. ઉપરાંત દશ હજાર ગાયને એક એવા આઠ વ્રજ હતા. [૧૨૭)
એક વખત શ્રમણભગવાન મહાવીર ફરતા ફરતા તે નગરીમાં આવ્યા, અને ત્યાંના કોષ્ટક નામના ચિત્યમાં ઊતર્યા. સૌ તેમનું દર્શન-પૂજન કરવા ગયાં. ચૂલ/પિતા પણ તે બધા સાથે ગયે. [૧૨૭]
ભગવાને ત્યાં ભેગી થયેલી મોટી પરિષદને ધર્મકથા કહી –
લેકે અતિથિ આવે તે પ્રસંગે ઉજાણ સારુ પિતાના આંગણમાં ઘેટો પાળે છે, તથા તેને ચોખા અને જવસ ખવરાવી ખવરાવીને પુષ્ટ કરે છે. તે ઘટે તૃતિપૂર્વક બધું ખાઈ ખાઈ, મેટા પેટવાળે તથા વિપુલ દેહવાળો બને છે. પરંતુ તે જાણતા નથી કે, પિતે અતિથિ આવે ત્યારે કપાવા માટે તૈયાર થઈ રહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org