________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે ત્યાગીને સંયમી પુરુષ શાંત દૃષ્ટિવાળો રહે. વિરપુરુષોએ તે દુઃખો સારી પેઠે સહન કરવો જોઈએ એમ હું કહું છું.” [૧૧૭]
" આટલું કહ્યા પછી, “કામદેવ!” એમ કહીને શ્રમણભગવાન મહાવીરે કામદેવ શ્રમણે પાસકને, પિશાચરૂપ ધારણ કરીને આવેલા દેવની, તેણે આપેલી વિવિધ યાતનાની, અને કામદેવે બતાવેલી થિરતાની વાત કહી સંભળાવીને, તેને પૂછ્યું: “આ વાત ખરી છે?” [૧૧૮]
હા! ભગવન ! ખરી છે!” [૧૧૮]
પછી, “આર્યો !” એમ કહીને નિગ્રંથનિગ્ર"થીઓને સંબંધી, શ્રમણભગવાન મહાવીરે કહ્યું: “ઘરમાં વસતા
આ શ્રમણોપાસકે જે, પોતાના વ્રતના પાલનને માટે દિવ્ય, માનષિક અને પશુએ કરેલા ઉપસર્ગો –વિદ્ગોને સારી રીતે સમભાવે સહન કરે છે, તેમનાથી ચલાયમાન થતા નથી, અને પિતાના વ્રતમાં તત્પર રહે છે, તો હે આર્યો ! તમારે શ્રમણનિએ કે જે બાર અંગવાળા ગણિપિટકનું અધ્યયન કરનારાં છે, તેમણે તે સ્વીકારેલા આચારને બરાબર સુરક્ષિત રાખવા માટે બરાબર તૈયાર રહેવું જોઈએ, અને જરાપણ ચલિત ન થવું જોઈએ, તથા માર્ગમાં જે જે યાતનાઓ આવે તે સહન કરવી જોઈએ. [૧૧]
શ્રમણભગવાન મહાવીરની આ વાતને તે સૌએ વિનય પૂર્વક સ્વીકારી, અને માથે ચડાવી. [૧૨૦]
૧. “આચારાંગ ” ૧૮૧-૫, ૧૯૫-૬. ૨. શાસ્ત્રગ્રંથવાળી આચાર્ય ની પેટી; અર્થાત શાસ્ત્રસમુદાય. બાર અંગના અર્થ માટે જુઓ પા. ૪, નેધ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org