________________
૨. કામદેવ વસ્ત્રો પહેર્યા, તથા મોટા મનુષ્યસમૂહ સાથે તે પિતાને ઘેરથી નીકળી પૂર્ણભદ્ર ચત્ય તરફ ગયે. [૧૧૫-૬]
- ભગવાને ત્યાં ભેગી થયેલી પરિષદને અને કામદેવ શ્રમણે પાસકને ધર્મકથા કહી –
લેકને કામરાગથી પીડિત સમજીને તથા પિતાના પૂર્વ સંબંધને ત્યાગ કરીને, ઉપશમયુક્ત અને બ્રહ્મચર્યમાં સ્થિત થયેલા ત્યાગી કે ગૃહસ્થ જ્ઞાની પાસેથી ધર્મને યથાર્થ જાણીને તે પ્રમાણે વર્તવું.
ધર્મ સ્વીકારીને શરૂઆતથી જ સાવધાન રહેવું, અને ક્યાંય આસક્ત ન થવું. બધી રીતે સંગને વટાવીને, વિરત મુનિએ સંયમમાં યત્ન કરતા વિહરવું. “ધર્મ જ મેટો છે, બીજું કાંઈ મેટું નથી” એ જાતનું જિનાજ્ઞા પ્રમાણેનું આચરણ મનુષ્યમાં ઉત્કૃષ્ટવાદ કહેવાય છે.
એ સંયમીને શરીર પડતાં સુધી રણસંગ્રામમાં મોખરે રહેનારા વીર પુરુષની ઉપમા અપાય છે. એ જ મુનિ પારગામી થઈ શકે છે. કેઈ પણ પ્રકારના કષ્ટથી ન ડગતે, અને વહેરાવા છતાં પાટિયાની જેમ સ્થિર રહેતું તે સંયમી, શરીર પડતા સુધી કાળની વાટ જોયા કરે, પણ દુઃખથી ગભરાઈ પાછો ન હઠે. ઘણા લાંબા કાળ સુધી સંચમધર્મનું પાલન કરીને વિચરતા અને ઇંદ્રિયનિગ્રહી એવા પૂર્વના મહાપુરુષોએ જે જે સહન કરેલું છે તે તરફ લક્ષ શખવું.
સાધુને આવી પડતાં દુઃખો બે પ્રકારનાં હોય છે. અનુકૂળ અને પ્રતિકૂળ. તેવા પ્રસંગોએ થતી સર્વ કુશંકાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org