________________
૨. કામદેવ દેવ રૂપ ધારણ કર્યું. તેનું વક્ષસ્થળ હારે વડે શોભતું હતું, તથા દશે દિશાએ તેના પ્રકાશથી ઝળહળી ઊઠી હતી. તે રૂપ પ્રાસાદિક, દર્શનીય, મનહર અને સુંદર હતું. તેણે પાંચ વર્ણનાં અને કિનારે ઘૂઘરીઓવાળાં વસ્ત્ર પહેર્યા હતાં. [૧૧૨).
પછી તે દેવે કામદેવની પૌષધશાળામાં આવી, અંતરિક્ષમાં ઊભા રહી કામદેવને કહ્યું: “હે શ્રમણે પાસક કામદેવ! તને ધન્ય છે ! હે દેવાનુપ્રિય ! મેળવવાનું બધું તને મળી ચૂકયું છે, તે કૃતાર્થ છે, તારાં બધાં શુભલક્ષણે ફળીભૂત થયાં છે, તથા મનુષ્યજન્મ અને જીવનનું બધું ફળ તે બરાબર પ્રાપ્ત કર્યું છે, કારણ કે, તે જૈન સિદ્ધાંતમાં આ પ્રકારને આદર-વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. એક વાર દેવેંદ્ર દેવરાજ ચોરાસી હજાર સામાનિક તથા બીજા પણ અનેક દેવ-દેવીથી વીંટળાઈને ઈંદ્રાસન ઉપર બેઠેલો હતો. તે વખતે તે એમ છે કે, જંબુદ્વીપમાં ભારતવર્ષમાં આવેલી
૧. “ સંપૂર્ણ ૨. “કૃતલક્ષણ'
૩. જન પ્રક્રિયામાં દેવોના ઇટ વગેરે ૧૦ વગે પાડેલા છે. ઇંદ્ર એ વામી છે; ત્રાયશ્ચિદ દેવ મંત્રી અથવા પુરોહિતનું કામ કરે છે; પરિષ દેવો મિત્રનું કામ કરે છે; આ નરક્ષક દેવ રક્ષકે છે; લોકપલે સરહદી રક્ષા કરે છે; અનીક દેવે સૈનિક – એનાધિપતિનું કામ કરે છે; અભિયોગ્ય દેવો દાસનું કામ કરે છે; દિવિષિક દેવ અંત્યજ જેવા છે; નગરવાસી કે દેશવાસી જેવા દેવો પ્રકીર્ણ ક કહેવાય છે; અને આયુષ વગેરેમાં જેઓ અત્રની સમાન છે (અર્થાત્ અમાત્ય, પિતા, ગુરુ આદિની માફક પૂજ્ય છે, પરંતુ જેમનામાં ફક્ત ઇદ્રવ નથી કે તે સામાનિક કહેવાય છે. જુઓ આ માળાનું “તવાર્થસૂત્ર’ પુસ્તક, પા. ૧૬૪ (૪-૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org