________________
૫. ચુલશતક એક વખત શ્રમણભગવાન મહાવીર ફરતા ફરતા તે નગરીમાં આવ્યા, અને ત્યાંના શંખવન ઉદ્યાનમાં ઊતર્યા. તેમને આવેલા જાણ રાજા તેમ જ પ્રજાજને તેમને વંદનનમસ્કાર કરવા ઊમટયાં. ચુલ્લશતક પણ તે સૌની સાથે ગયે. ૧૫૫
ત્યાં ભેગી થયેલી મોટી પરિષદને ભગવાને ધર્મકથા કહી –
જે કામગુણે છે, તે જ સંસારનાં મૂળ સ્થાને છે. કારણકે, તે કામગુણેમાં આસક્ત માણસ પ્રમાદથી માતપિતા, ભાઈબહેન, પત્નીપુત્ર, વહુદીકરી, મિત્રસ્વજન વગેરેમાં તેમ જ બીજી ભેગસામગ્રી તથા અન્નવસ્ત્ર વગેરેમાં મમતાપૂર્વક તપ્યા કરે છે. તે બધા વિષયોના સંગને અર્થી તથા તેમાં જ લીન થયેલા ચિત્તવાળો તે માણસ રાતદિવસ પરિતાપ પામતે, કાળઅકાળને વિચાર કર્યા વિના સખત પરિશ્રમ ઉઠાવતો, વગર વિચાર્યું અનેક પ્રકારનાં કાળાં કર્મો કરે છે; તથા અનેક જીના વધ, છેદ, ભેદ, તથા ચોરી, લૂંટ, ત્રાસ વગેરે પાપકર્મો કરવા તત્પર થાય છે, એટલું તો શું, કેઈએ ન કરેલું એવું કરવાને પણ ઈરાદો રાખે છે.
“સ્ત્રી અને ધનના કામી તથા દુઃખથી ડરતા એવા તે અજ્ઞાની છ પિતાના સુખ માટે શરીરબળ, જ્ઞાતિબળ, દેવબળ, રાજબળ, શ્રમણબળ એવાં અનેક બળ મેળવવા ગમે તેવાં કાર્યો કરે છે, અને તેમ કરતાં થતી અન્ય જીવોની હિંસાની જરાય પરવા કરતા નથી.
કામિની અને કાંચનમાં મૂઢ એવા તે લોકોને જીવિતમાં અત્યંત રાગ હોય છે. મણિ, કુંડળ અને હિરણ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org