________________
A
ભગવાન મહાવીરના દશ ઉપાસકા
તેને કારણે તમે વ્રત-નિયમ-પૌષધથી ચલિત થયા છે. માટે તમે એ દોષનું પ્રાયશ્ચિત્ત કરી, ફરી વાર વ્રત સ્વીકારી જેમ રહેતા હતા તેમ રહેા. [૧૫૩]
સુરાદેવે ધન્યા ભાર્યાની વાત વિનયથી સ્વીકારી. તેણે ચૂલણીપિતાની પેઠે પ્રાયશ્ચિત્ત કરી, વ્રત-નિયમ-પૌષધના ફરી વાર સ્વીકાર કર્યાં.
આનંદની પેઠે તેણે પણ પછી શ્રમણેાપાસકની અગિયારે પ્રતિમાઓ સારી રીતે પાર કરી. છેવટે કામદેવ શ્રમણાપાસકની પેઠે મારણાંતિક સ’લેખના સ્વીકારીને, સમાધિપૂર્ણાંક મરણ પામી, તે સૌધ કલ્પના અરુણુકાંત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં તેનું આયુષ્ય ચાર પલ્સેપમ વનું છે. ત્યાંથી તે મહાવિદેહવાસ પામી, સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે. [૧૫૪]
૧
ચુલ્લીતક
આલલિકા નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા. ત્યાં ચુલ્લશતક નામે ગૃહપતિ તેની બહુલા નામે ભાર્યાં સાથે રહેતા હતા. તેની પાસે છ કરોડ (પાલી) સાનું નિધિ તરીકે સંધરામાં હતું; છ કરાડ વ્યાજે, અને છ કરાડ ઘરના વાપરમાં હતું. ઉપરાંત દશ હજાર ગાયાના એક એવા છ વ્રજો હતા. [૧૫]
૧. કનેજ પાસે આવેલું એક પ્રાચીન શહેર. જીએ પુસ્તકને અંતે ટિપ્પણ નં. ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org