________________
૭૪
ભગવાન મહાવીરના દશ ઉપાસકો વગેરે કાયમ છે, ત્યાં સુધી અવસર ઓળખી શાણા પુરુષે પિતાનું કલ્યાણ બરાબર સાધી લેવું જોઈએ! ”૧
ભગવાનનું પ્રવચન સાંભળી, ચુલશતકે પણ કામદેવ ઉપાસકની પેઠે હુઇ, તુષ્ટ, અને પ્રસન્ન થઈ, ભગવાન પાસેથી બાર પ્રકારનો ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો.
ત્યારબાદ શ્રમણોપાસક ચુલ્લશતક શ્રાવકધર્મ યથાયોગ્ય પાળ અને જૈન સાધુને ભિક્ષાદિ આપતા રહેવા લાગ્યો.
એમ અણુવ્રત ગુણવ્રત વગેરે પાળતાં પાળતાં ચુલ્લશતકનાં ૧૪ વર્ષ ચાલ્યાં ગયાં. પંદરમા વર્ષને વચગાળે તેણે પણ, મહાવીર ભગવાન પાસેથી જાણેલે ધર્મ માર્ગ ઝંઝટ વિના બરાબર અનુસરી શકાય તે માટે પોતાના મોટા પુત્રને બધાં જ્ઞાતિ-સ્વજનની રૂબરૂમાં બધે વ્યવહારભાર સોંપી, પૌષધશાળામાં શ્રમણભગવાન મહાવીરે બતાવેલા ધર્મમાર્ગ અનુસાર રહેવા માંડ્યું. [૧૫૫.
એક વખત, મધ્યરાત્રીએ એક દેવે ચુલ્લશતકને તેના વ્રતમાંથી ચળાવવા માટે, ઉઘાડી તલવાર સાથે આવી, તેના ત્રણે પુત્રોને ચૂલણપિતા ગૃહપતિના પુત્રોની જેમ મારી નાખ્યા. છતાં તે ડગ્યો નહીં. છેવટે તેણે તેના બધા પૈસા ઘરમાંથી કાઢીને બહાર રાજમાર્ગ ઉપર લઈ જઈ વહેંચી દેવાની ધમકી આપી. [૧૫૬-૮)
૧૧ આચારાંગ અધ્ય ૨૪ લોકવિજય.
૨. જેવા કે “સિંઘાટ' વગેરે: શગડાને આકારે ત્રણ રસ્તા જ્યાં ભેગા થાય, ત્યાં વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org