________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે પૂર્વક મરણ પામી, તે સૌધર્મકલ્પના અરુણસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં તેનું આયુષ્ય ચાર પળેપમ વર્ષનું છે. ત્યાંથી તે મહાવિદેહવાસ પામી, સિદ્ધ બુદ્ધ, અને મુક્ત થશે. [૧૬]
કુંડકોલિક કપિલપુર નગરમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતું. ત્યાં કુંડકલિક નામે ગૃહસ્થ તેની પુષા નામની ભાર્યા સાથે રહેતું હતું. તેની પાસે છ કરેડ (પાલી) નું નિધિ તરીકે સંઘરામાં હતું, છ કરોડ વ્યાજે, અને છ કરોડ ઘરના વાપરમાં હતું. ઉપરાંત દશ હજાર ગાયોને એક એવા છ વ્ર હતા. [૧૬૩]
એક વખત શ્રમણભગવાન મહાવીર ફરતા ફરતા તે નગરીમાં આવ્યા, અને ત્યાંના સહસ્ત્રાપ્રવણ ઉદ્યાનમાં ઊતર્યા. તેમને આવેલા જાણી રાજા તેમ જ પ્રજાજનો તેમને વંદન-નમસ્કાર કરવા ઊમટયાં. કુંડકેલિક પણ તે સૌની સાથે ગયા. [૧૬૩
૧. આને “કાંપલ્ય” કે “કપિલ” પણ કહે છે. તેરમાં તીર્થકર વિમલનાથનો જન્મ, રાજ્યભિષેક, દીસા વગેરે પ્રસંગો ત્યાં બન્યા હતા. પાંચાલ દેશમાં ગંગા કિનારે આવેલું આ શહેર અયોધ્યાથી પશ્ચિમે આવેલું કહેવાય છે. ફરકાબાદ જિલ્લામાં આવેલા કાયમગંજથી ઉત્તર પશ્ચિમમાં છે માઈલ ઉપર કંપિલા આવ્યું હોય તેમ લાગે છે. મહાભારતમાં ગંગાને કાંઠે આવેલી માકંદીની પાસે કુપદનું આ નગર હેવાનું જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org