________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકો વગેરેમાં પ્રીતિવાળા તથા સ્ત્રીઓમાં અત્યંત આસક્તિવાળા તે લોકોને એમ જ દેખાય છે કે, અહીં કેઈ તપ નથી, દમ નથી, કે નિયમ નથી. જીવન અને તેના ભેગેની કામનાવાળે તે મહામૂઢ મનુષ્ય ગમે તેમ બોલે છે, તથા હિતાહિતજ્ઞાનશૂન્ય બની જાય છે.
તે લેકે સ્ત્રીઓથી હારી ગયેલા હોય છે. તેઓ એમ જ માને છે કે એ જ સુખની ખાણ છે. ખરી રીતે તે તે દુઃખ, મેહ, મૃત્યુ, નરક અને હલકી પશુગતિનું કારણ છે.
“કામભેગના જ વિચારમાં મન, વચન અને કાયાથી મગ્ન રહેનારા તે મનુષ્ય પોતાની પાસે જે કાંઈ ધન હોય છે, તેમાં અત્યંત આસક્ત રહે છે; તથા બેપગ, ચારપગાં કે ગમે તે પ્રાણુઓના વધ કે નિગ્રહથી પણ તેની વૃદ્ધિ કરવા ઈચ્છે છે.
“પરંતુ માણસનું જીવિત અલપ છે. જ્યારે આયુષ્ય મૃત્યુથી ઘેરાવા માંડે છે, ત્યારે શ્રોત્ર, ચક્ષુ વગેરે ઇંદ્રિાના બળની હાનિ થવા લાગતાં માણસ મૂઢ બની જાય છે. તે વખતે પિતાનાં માનેલાં સગાંસંબંધી, કે જેઓની સાથે તે લાંબા કાળથી રહેતું હોય છે, તેઓ પણ તેને તિરસ્કાર કરવા લાગે છે. વૃદ્ધાવસ્થામાં હાસ્ય, કીડા, રતિ કે શૃંગાર રહેતાં નથી. વય અને યૌવન પાણીને વેગે ચાલ્યા જાય છે. તે વખતે પ્રિય માનેલાં સગાંસંબંધી મનુષ્યનું મૃત્યુમાંથી રક્ષણ કરી શકતાં નથી કે તેનું શરણ બની શકતાં નથી. જે માતપિતાએ નાનપણમાં તેનું પિષણ કર્યું હતું તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org