________________
૨. કામદેવ
૫૯
પછી કામદેવ શ્રમણાપાસક ભગવાનને કેટલાક પ્રશ્નો પૂછીને, તથા તેમના જવાબ બરાબર સમજીને પેાતાને આવાસે ગયા. [૧૨૧]
ભગવાન મહાવીર પણ વખત થયે ચંપામાંથી નીકળીને બહારના પ્રદેશે।માં વિહરવા લાગ્યા. [૧૨]
ત્યારખાદ કામદેવ શ્રમણે પાસક પહેલી ઉપાસકપ્રતિમા સ્વીકારીને રહેવા લાગ્યા. [૧૨૩]
તેણે વીશ વર્ષ સુધી શ્રમણેાપાસકની મર્યાદા ખરાખર સાચવી. તે પ્રમાણે ઉપાસકની અગિયારે પ્રતિમાઓને પાર કરીને, ત્યાર બાદ એક મહિના સુધીની મારણાંતિક સ'લેખનાના સાઠ ટક જેટલા ઉપવાસ વડે પેાતાની જાતને સારી રીતે તાવીને, તથા દોષાની કબૂલાત અને પ્રાયશ્ચિત્તને વિધિ પૂરા કરી, કામદેવ સમાધિપૂર્વક એ મહિનાને અંતે મરણ પામ્યા; અને સૌધમ કલ્પમાં ઈશાનખૂણે આવેલા અરુણાભ–વિમાનમાં દેવ થયેા. ત્યાં તેનું આયુષ્ય ચાર પડ્યેાપમ વર્ષ જેટલું છે. ત્યાંથી તે પેાતાનું આયુષ્ય, ભવ અને સ્થિતિ પૂરાં કરી, મહાવિદેહવાસ પામી, સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે.૨ [૧૨૪–૫]
૧. જીએ પા. ૩૬. ધર્મ શ્રદ્ધા-સમ્યકૃત્વ ખરાખર પાળવારૂપી વ્રત. ૨. આ ફકરાની પારિભાષિક બાબતો માટે જુએ પ્રથમ અધ્યયન પા. ૪૬ ઉપરની નેધ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org