________________
સુરાદેવ વારાણસી નગરીમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતે હતે. ત્યાં સુરાદેવ નામને ગૃહસ્થ તેની ધન્યા નામની ભાર્યા સાથે રહેતો હતો. તેની પાસે છ કરેડ (પાલી જેટલું) સોનું નિધિ તરીકે સંઘરામાં હતું, છ કરોડ વ્યાજે, અને છ કરોડ ઘરના વાપરમાં હતું. ઉપરાંત દશ હજાર ગાયને એક એવા છે વજો હતા.
એક વખત શ્રમણભગવાન મહાવીર ફરતા ફરતા તે નગરીમાં આવ્યા અને ત્યાંના કેષ્ટક ચેત્યમાં ઊતર્યા. તેમને આવેલા જાણી, રાજા તેમજ પ્રજાજને ટેળે વળી તેમનાં દર્શન-પૂજન કરવા ઊમટયાં. સુરાદેવ પણ તે સૌની સાથે ગયો.
ત્યાં ભેગી થયેલી પરિષદને ભગવાને ધર્મકથા કહી –
વિવિધ પદાર્થોમાં સ્નેહ અથવા આસક્તિ એ સર્વ પ્રકારનાં બંધનનું મૂળ છે. માટે મનુષ્ય સર્વ પ્રકારના સંબંધોનો ત્યાગ કરી, ફરી ક્યાંય નેહ ન કરે. નેહ કરાવનારા પદાર્થોમાં પણ સ્નેહ વિનાને રહેનાર મનુષ્ય સર્વ દુઃખમાંથી મુક્ત થાય છે.
રાગ અને દ્વેષને કારણે મનુષ્યના અંતરમાં અનેક ગાંઠે બંધાઈ ગઈ છે. તે બધીને ભલે પ્રકારે છેદી નાખી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org