________________
૧. આનંદ
એ વખતે ફરતા ફરતા શ્રમણભગવાન મહાવીર વાણિજ્યગ્રામમાં ત્યાં આવી પહોંચ્યા, અને ત્યાંના દૂઈપલાસય ચિત્યમાં ઊતર્યા. તેમની સાથે તેમના મોટા શિષ્ય ઈંદ્રભૂતિ પણ હતા. તે સાત હાથ ઊંચા, વિસ્તાર અને ઊંચાઈમાં બરાબર પ્રમાણસર શરીરાકૃતિવાળા, હાડકાંના અતિ મજબૂત સાંધાવાળા, સેનાના કટકાની રેખા તથા પદ્મકેસર સમાન ગૌર, ઉગ્ર તપવાળા, ઝળહળતા તપવાળા, બાળી નાખે તેવા તપ વાળા, ઘેર તપવાળા, મહા તપવાળા, ઘોર બ્રહ્મચર્યમાં રહેવાના સ્વભાવવાળા, અને શરીરના સંસ્કારોને તજનારા હતા. શરીરમાં સમાયેલી હોવાથી નાની બનેલી પરંતુ અનેક જન સુધીના પદાર્થોને બાળી નાખે તેવી વિપુલ તેજે જ્વાલારૂપી દિવ્ય શક્તિ તપ વડે તેમણે પ્રાપ્ત કરી હતી. તે નિરંતર (છ ટંકના) બબ્બે ઉપવાસ ર્યા કરતા હતા. આમ તપ અને સંયમ વડે તે આત્માને કેળવ્યા કરતા હતા. [૭૫-૬]
૧. “મવતુસ્ત્ર-”—વાળા. પર્યકાસને બેસે ત્યારે બંને ઢીંચણ વચ્ચેનું અંતર, આસનનું અને લલાટના ઉપરના ભાગનું અંતર, જમણે ખભો અને ડાબા ઢીંચણનું અંતર, તથા ડાબા ખભા અને જમણ ઢીંચણનું અંતર–એ ચાર “અસ્ત્રિ' સરખાં થાય, તે તે શરીર સમચતુરસ્ત્રી કહેવાય --એમ પણ અર્થ થાય છે,
૨. વઝ-કૃષમ-રાજ્ય-સંલ્હનના સંહનન એટલે હાડકાંની રચના – સાંધો. દરેક સાથે પ્રથમ મર્કટબંધની જેમ આંકડા ભીડાવ્યા હોય (નારાચ), પછી તેના ઉપર ચામડીનો મજબૂત પાટે હેચ (ત્રકામ છે અને પછી તેના પર હાડકાંની ખીલી (વજ) હોય. ૩. જન-જુવા-નવાષ | ૪, ૩રારીરે ! ૫. “
તે શ્યા '. ૬. ઉપવાસના સમયની આગળ એક અને પાછળ એક ટંક પણ તજવાની હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org