________________
૪૦ ભગવાન મહાવીરના દશ ઉપાસકે શુદ્ધ થતાં, તેને “અવધિ” નામનું જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં પાંચસે લેજના સુધીના લવણસમુદ્રના ક્ષેત્રને અહી રહ્યો રહ્યો જ જોઈ તથા જાણી શકવા લાગ્યા અને ઉત્તરમાં ચુલ્લહિમવત વર્ષધર પર્વત સુધી, ઉપર સૌધર્મ ક૫ સુધી, તથા નીચે રત્નપ્રભા પૃથ્વીમાંના લેલુચ્ચય નરક સુધીના પ્રદેશને જોવા તથા જાણવા લાગ્યા. [૭૪]
૧ ઇદ્રિય અને મનની મદદથી થતાં મતિજ્ઞાન (પ્રત્યક્ષ) અને શ્રુતજ્ઞાન (શાસ્ત્રવાક્યથી થતું જ્ઞાન) એ બે ઉપરાંત જૈનશાસ્ત્ર ઇદ્રિય તથા મનની મદદ સિવાય ફક્ત આત્માની યોગ્યતાના બળથી ઉત્પન્ન થતાં બીજાં ત્રણ જ્ઞાન પણ માને છે. અવધિજ્ઞાન તેમાનું એક છે. તેનાથી દૂર રહેલાં મૂર્ત દ્રવ્યોનું જ્ઞાન થઈ શકે છે. જોકે તે જ્ઞાન કેવળજ્ઞાનની પેઠે તે પદાર્થોનાં સમગ્ર પરિણામો ન જ જાણી શકે. વિગત માટે જુઓ આ માળાનું “તત્વાર્થ સૂત્ર” અ૦ ૧, ૨૨૦ ૨૩ ૪૦.
૨. જેમાં આપણો દેશ આવે છે તે જંબુદ્વીપ થાળી જેવો છે. તેની ચારે તરફ બંગડીને આકારે વળ સમુદ્ર આવેલ છે.
જબુદ્વીપમાં સાત ક્ષેત્રે – “વર્ષ” છે. છેક દક્ષિણે ભરતક્ષેત્ર છે; તેને તેની ઉપરના હૈમવત ક્ષેત્રથી હિમવંત પર્વત જુદું પડે છે. એ હિમવતને અહીં સુલ હિમવંત કહ્યો છે. જુદાં જુદાં ક્ષેત્ર અથવા વર્ષને જુદા પાડતો પર્વત વર્ષધર કહેવાય છે.
દેવાના ચાર સમૂહ કે જાતિ છે. તેમાંને ચોથા વર્ગ વૈમાનિકનો છે. તે વૈમાનિકોમાં પણ પ્રથમ બાર વગે બાર જુદાં જુદાં સ્વર્ગ માં (૧૫) રહે છે. સૌધર્મ તેમાંનું પ્રથમ છે.
અલોકમાં સાત નરક ભૂમિઓ આવેલી છે. રત્નપ્રભા તેમની પ્રથમ છે. આ બધી કવિષયક જનમાન્યતા માટે જુઓ આ માળાનું “તત્વાર્થ સૂત્ર” પુસ્તક, અ૦ ૩ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org