________________
૧આનંદ . પરંતુ આવા ઉત્તમ, વિપુલ, યત્નમય અને ગાઢ તપકર્મથી આનંદ શ્રમણે પાસક શુષ્ક, કૃશ અને હાડપિંજર જેવો થઈ ગયો. [૭૨].
આવી દશામાં એક વખત રાતે ચિંતન કરતાં તેને એ વિચાર આવ્યું કે, આ ભારે તપકર્મથી હું હાડપિંજર જેવું થઈ ગયું છું. તે પણ હજુ મારામાં ઊઠવાની શક્તિ (ઉત્સાહ), કર્મ કરવાની શક્તિ, બળ, વીર્ય, સાહસ, પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ અને સંવેગ છે; તે, જ્યાં સુધી તે બધાં મારામાં કાચમ છે, તથા જ્યાં સુધી મારા ધર્માચાર્ય ધર્મોપદેશક શ્રમણભગવાન મહાવીર પણ હયાત છે, ત્યાં સુધીમાં હું અંતિમ તથા મરતા સુધીનું (અન્નપાન છેડી સમાધિસ્થ રહેવાનું) સંલેખના વ્રત કાલે સવારે સૂર્યોદય થતાં સ્વીકારું; અને ખાવું-પીવું તજી દઈ મેતની પરવા છેડી, મારું છેલ્લું જીવન પૂરું કરું.
આ વિચાર કરી, તેણે બીજે દિવસે સૂર્યોદય થતાં અપશ્ચિમ-મરણાંતિક-સંલેખના વ્રત સ્વીકાર્યું, અને ખાનપાન તજી દીધું. [૭૩]
એ સ્થિતિમાં રહેતાં રહેતાં, તેના આ શુભ અધ્યવસાયથી, તેનું શુભ પરિણામ થતાં, તથા તેની ચિત્તવૃત્તિઓ
૧. ધમાતા – નસોનાં ગૂંચળાંથી છવાઈ ગયેલો. ૨. પુરુષાર .
૩. અપશ્ચિમ-મરણાંતિ સંવના ! ૪. વાઢ મળવળમાળ . જીવન-મરણ સરખાં ગણી રહેતો.
પ. મૂળ: જેરા સફટિકની નજીક રંગીન વસ્તુ આવતાં જેમ તેનામાં તેવા રંગને ફેરફાર થાય છે, તેમ પોતે બાંધેલાં વિવિધ શુભાશુભ કર્મોના સાન્નિધ્યથી આત્મામાં થયેલા ફેરફારનું નામ લેશ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org