________________
ભગવાન મહાવીરના દશ ઉપાસક પ્રવૃત્તિ ન કરાવવાને નિયમ નવ મહિના બરાબર પાળવે તે.
૧૦. “ઉદિષ્ટ–ભક્ત–વજન પ્રતિમા': અર્થાત પિતાને ઉદેશીને કરેલા ખાનપાન વગેરે પદાર્થોને ઉપયોગ ન કરવાને અને મુંડ રહેવાને કે માત્ર એટલી રાખવાને નિયમ દશ મહિના બરાબર પાળ તે.
૧૧. “શ્રમણભૂત પ્રતિમા': અર્થાત્ શ્રમણ-સાધુને જ આચાર અગિયાર મહિના બરાબર પાળ તે.૧
આગળની દરેક પ્રતિમા વખતે પાછલી દરેક પ્રતિમા ચાલુ રહેલી જ ગણવાની હોય છે.]
આનંદે ઉપાસક માટેની એ અગિયાર પ્રતિમાઓને એક પછી એક સ્વીકાર કર્યો, અને તે દરેકને શાસ્ત્ર (સૂત્રો અનુસાર, આચાર (ક૯૫) અનુસાર, માગ અનુસાર, તથા જેવી હોય તેવી બરાબર પાળી, શેાભાવી, પાર કરી, (પૂરી થયેલી) જાહેર કરી, અને સમાપ્ત કરી. [૭૦-૧]
૧. આ બધી પ્રતિમાઓ પૂરી કરતાં બરાબર સાડા પાંચ વર્ષ થાય. ઉપર ૧૬મા ફકરામાં જણાવ્યા પ્રમાણે ઉપાસક તરીકે આનંદે સાડાચોદ વર્ષ ગાળ્યા પછી આ પ્રતિમાઓ સ્વીકારી હતી અને ૨૦ વર્ષ થતાં તે ગુજરી ગયો હ; અર્થાત્ આ સાડા પાંચ વર્ષ પ્રતિમાનાં પૂરાં થતાં જ તે મૃત્યુ પામ્યું હતું. પ્રતિમાઓ દરમ્યાન કુલ ૧૭૧૩ ઉપવાસ થાય, અને ૨૬૮ પારણું થાય. પ્રતિમાઓ પૂરી થતાં કઈ ઘેર પાછો ફરે, કઈ સાધુપણાની દીક્ષા જ લઈ લે, અથવા કેઈ અન્નપાનને ત્યાગ કરી મૃત્યુ સ્વીકારે.
૨. વિરા ૩. મારા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org