________________
૧. આન
પછી જેવી મળી તેવી તથા ગ્રહણ કરવા ચેાગ્ય એવી નિર્દોષ, જીવજં તુરહિત ભિક્ષા લઈ ને પાછા ફરતાં, કલ્લાક સનિવેશ પાસેથી તે જતા હતા, ત્યારે તેમણે બહુ લેાકેાને માટે એમ સાંભળ્યું કે, ‘ભગવાન મહાવીરના શ્રમણેાપાસક આનંદે પૌષધશાળામાં ( મરતા લગી અન્નપાન તજવારૂપી) અપશ્ચિમ-મારણાંતિક-સલેખના વ્રત સ્વીકાર્યું છે. [૭૯]
ગૌતમને તે સાંભળી, આન ંદને મળવાના વિચાર થયા. એટલે તે પૌષધશાળામાં આનંદ પાસે આવ્યા. [૮૦]
ગૌતમને આવતા જોઈ, હષ અને ઉલ્લાસભર્યો થઈ આનંદે તેમને વંદન અને નમસ્કાર કર્યા; તથા કહ્યું, “ હું ભગવન્ ! હું આ ઉગ્ર તપને લીધે આપની પાસે આવી, ત્રણવાર મસ્તક નમાવી, આપના ચરણને નમન કરવાને અશક્ત છું. પરંતુ હે ભગવન! આપ જો ઇરાદાપૂર્વક અહીં મારી પાસે આવે, તે હું આપને માથાથી વંદન અને નમન કરી શકું. ” [૮૧]
ગૌતમ આનંદની પાસે ગયા, એટલે આનંદે તેમના ચરણમાં માથુ' મૂકી ત્રણ વાર વંદન-નમસ્કાર કર્યો. પછી તેણે વાતવાતમાં પૂછ્યું, ‘ હું ભગવન ! ઘરમાં રહેતા ગૃહસ્થને અવધિજ્ઞાન થાય ખરું? ’
૧ મહાવખત મુમ્મ - યયાવયાં મુશ્ । અર્થાત્ ભિક્ષામાં નિર્દોષ અને નિર્જીવ જે મળે તે લેવાનું હેાય; સ્વાદુ-અસ્વાદુ વગેરેની પસંદગી કરવાની ન હોય. મૂળમાં એ ભિક્ષા મેળવવાની પદ્ધતિ વગેરે ‘- પત્નત્તીમાં વળ્યું છે તે પ્રમાણે સમજી લેવાનું કહ્યું છે. અર્થાત્ ‘વિવાહ પન્નત્તી ’ એટલે કે ‘ભગવતીસૂત્ર’ નામના પાંચમા અંગમાં જણાવ્યા પ્રમાણે. (પા. ૩૬૮, ૩૭૧ ) २. इथंकारेण अभियोगेन ( इत्यकारेण अभिओगेणं )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org