________________
છે ભગવાન મહાવીરના દશ ઉપાસકે પ્રતિમાઓ રૂડી પરે શરીર વડે આચરી, ત્યાર બાદ એક મહિના સુધીની મારણાંતિક લેખનાના સાઠ ટંક ઉપવાસ વડે પોતાની જાતને તાવી, દેશની કબૂલાત તથા પ્રાયશ્ચિત્ત પરવારી, સમાધિપૂર્વક એ મહિનાને અંતે મરણ પામે; અને સૌધર્મક૯૫માં ઈશાન ખૂણે આવેલા અરુણ વિમાનમાં દેવ થયા. ત્યાં તેનું આયુષ્ય ચાર પલ્યોપમ વર્ષનું છે. ત્યાંથી તે મહાવિદેહવાસ પામી, સિદ્ધ બુદ્ધ અને મુક્ત થશે. [૮૮-૯૦)
કામદેવ આર્ય સુધર્મા કહે છે –
ચંપા નામે નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. ત્યાં કામદેવ નામે ગૃહસ્થ તેની ભદ્રા નામે ભાય સાથે રહેતો હતો. તેની પાસે છ કરોડ (પાલી જેટલું) સોનું નિધિ તરીકે સંઘરામાં હતું; છ કરોડ વ્યાજે, અને
१ झूमित्ता-पितम् क्षोणं कृत्वा । ૨. શાસ્ત્રમાણે–અર્થાત કાળ– મૃત્યુનો = સંલેખનનો માસ. ૩. પલ્યોપમ વર્ષ ના અર્થ માટે જુઓ પુસ્તકને અંતે ટિપ્પણ નં. ૯.
૪. આ કાળમાં આ ક્ષેત્રથી કોઈ સીધા મુક્ત થઈ શક્તા નથી. માત્ર મહાવિદેહ ક્ષેત્રમાંથી મુક્તિ પામી શકાય છે. માટે પ્રથમ ત્યાં જન્મ લેવો પડે છે. એ જેને માન્યતા માટે જુઓ પુરતકને અંતે ટિપ્પણ નં. ૧૦,
૫. જુઓ પા. ૬, નોંધ ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org