________________
૨. કામદેવ છ કરોડ ઘરના વાપરમાં હતું. ઉપરાંત દસ હજાર ગાયને એક એવા છ વ્ર હતા. [૨]
એક વખત શ્રમણ ભગવાન મહાવીર ફરતા ફરતા તે નગરીમાં આવ્યા અને ત્યાંના પૂર્ણભદ્ર ચૈત્યમાં ઊતર્યા. તેમને આવેલા જાણી, રાજા જિતશત્રુ તેમ જ પ્રજાજને તેમને વંદવા-પૂજવા, દર્શન કરવા, અર્થ પૂછવા, પ્રશ્ન પૂછવા, દીક્ષા લેવા, શ્રાવકનાં વ્રત લેવા, ભક્તિના રાગથી કે આચાર માની, તેમની પાસે આવ્યાં. કામદેવ પણ તેમને વંદન-નમસ્કાર કરવા ગયો. [૨]
ભગવાને ત્યાં ભેગી થયેલી માટી પરિષદને ધર્મકથા કહી –
એક વાર તૂટયા પછી જીવનદેરી ફરી સાંધી શકાતી નથી. માટે જ્યાં સુધી આયુષ્ય છે, ત્યાં સુધી પ્રમાદને ત્યાગ કરી, કલ્યાણના માર્ગને અનુસરો. પ્રમાદ, હિંસા અને અસંયમમાં જુવાની વિતાડયા પછી, ઘડપણ આવીને ઊભું રહેશે. તે વખતે કશે ઉપાય થઈ શકશે નહીં; પણ પોતે જ પાડેલા બાકામાં સપડાયેલા ચેરની પેઠે કરેલાં કર્મોનું ફળ ભેગવવું જ પડશે. કારણ કે, કરેલાં કર્મો આ લોક તેમ જ પરલોકમાં ભેગવ્યા વિના કોઈને છૂટકે નથી.
“આયુષ્ય દરમ્યાન મનુષ્ય, ધનને સુખને હેતુ માની, અનેક પાપો કરી, તથા અનેક વૈર બાંધીને પણ તેને ભેગું કર્યા કરે છે. પરંતુ જુઓ ! મૃત્યુ બાદ તેને પાછળ મૂકીને તેઓને પોતાનાં કર્મફળ ભેગવવા નરકમાં જવું પડે છે! ધન આ લેકમાં જ કર્મફળમાંથી બચાવી શકતું નથી, તે પરલેકની તો વાત જ શી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org