SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. કામદેવ છ કરોડ ઘરના વાપરમાં હતું. ઉપરાંત દસ હજાર ગાયને એક એવા છ વ્ર હતા. [૨] એક વખત શ્રમણ ભગવાન મહાવીર ફરતા ફરતા તે નગરીમાં આવ્યા અને ત્યાંના પૂર્ણભદ્ર ચૈત્યમાં ઊતર્યા. તેમને આવેલા જાણી, રાજા જિતશત્રુ તેમ જ પ્રજાજને તેમને વંદવા-પૂજવા, દર્શન કરવા, અર્થ પૂછવા, પ્રશ્ન પૂછવા, દીક્ષા લેવા, શ્રાવકનાં વ્રત લેવા, ભક્તિના રાગથી કે આચાર માની, તેમની પાસે આવ્યાં. કામદેવ પણ તેમને વંદન-નમસ્કાર કરવા ગયો. [૨] ભગવાને ત્યાં ભેગી થયેલી માટી પરિષદને ધર્મકથા કહી – એક વાર તૂટયા પછી જીવનદેરી ફરી સાંધી શકાતી નથી. માટે જ્યાં સુધી આયુષ્ય છે, ત્યાં સુધી પ્રમાદને ત્યાગ કરી, કલ્યાણના માર્ગને અનુસરો. પ્રમાદ, હિંસા અને અસંયમમાં જુવાની વિતાડયા પછી, ઘડપણ આવીને ઊભું રહેશે. તે વખતે કશે ઉપાય થઈ શકશે નહીં; પણ પોતે જ પાડેલા બાકામાં સપડાયેલા ચેરની પેઠે કરેલાં કર્મોનું ફળ ભેગવવું જ પડશે. કારણ કે, કરેલાં કર્મો આ લોક તેમ જ પરલોકમાં ભેગવ્યા વિના કોઈને છૂટકે નથી. “આયુષ્ય દરમ્યાન મનુષ્ય, ધનને સુખને હેતુ માની, અનેક પાપો કરી, તથા અનેક વૈર બાંધીને પણ તેને ભેગું કર્યા કરે છે. પરંતુ જુઓ ! મૃત્યુ બાદ તેને પાછળ મૂકીને તેઓને પોતાનાં કર્મફળ ભેગવવા નરકમાં જવું પડે છે! ધન આ લેકમાં જ કર્મફળમાંથી બચાવી શકતું નથી, તે પરલેકની તો વાત જ શી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy