________________
૧. આનંદ
૨૯ વગેરેથી ઈશારો કરવા અને તે માટે કાંઈ ફેંકવું કરવું. [૫૪]
[૧૧] “પષધેપવાસ કરનાર શ્રમણોપાસકે અતિચારરૂપ નીચેની પ્રવૃત્તિઓ મુખ્યત્વે ન કરવી. તે જેમકે –તપાસ્યા વિનાનાં કે બરાબર નહીં તપાસેલાં એવાં આસન કે પથારી વગેરેનો ઉપયોગ કરે; સાફ કર્યા વિનાનાં કે બરાબર સાફ નહી કરેલાં એવાં આસન કે પથારી વગેરેને ઉપયોગ કરે; તપાસ્યા વિનાનાં કે બરાબર નહી તપાસેલાં શાચ કે લઘુશંકાનાં સ્થાને ઉપગ કરે; સાફ કર્યા વિનાનાં કે બરાબર સાફ નહી કરેલાં એવાં શૌચ કે લઘુશંકાનાં સ્થાને ઉપયોગ કરે અને પૌષધોપવાસ અવ્યવસ્થિતપણે કરે. [૫૫]
[૧૨] “યથાસંવિભાગવત ધારણ કરનાર શ્રમણપાસકે તે વ્રતના અતિચારરૂપ નીચેની પ્રવૃત્તિઓ મુખ્યત્વે ન કરવી. તે જેમકે - ન આપવાની વૃત્તિથી ભેજનસામગ્રીને સચિત્ત વસ્તુમાં મૂકવી; કે સચિત્ત વસ્તુથી ઢાંકવી; અગ્ય સમયે દાન દેવાનો ઢોંગ કરવો; ન આપવાની બુદ્ધિથી પિતાનું હોય તેમ છતાં બીજાનું કહેવું અને બીજાની હરીફાઈ કરીને આપવું. [૫૬] | [આ પ્રમાણે લીધેલાં વ્રતને બરાબર તથા અતિચારે વિના પાળતાં પાળતાં કાળના દોષથી, શરીરની દુર્બળતાના દેષથી કે કોઈ વિઘોના દોષથી જ્યારે સંયમધર્મ પાળ અશક્ય થઈ જતો સમજાય, કે મૃત્યુકાળ નજીક આવી પહોંચેલે જણાય, ત્યારે શ્રાવક ધીરે ધીરે કે સદંતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org