________________
૧. માનt
વગેરેથી સંમાન કરી, તેમની સમક્ષ પોતાના જ્યેષ્ઠ પુત્રને બેલાવ્યો, અને કહ્યું – “હે પુત્ર! હું આ વાણિજ્યગ્રામમાં ઘણા લોકોને પૂછવાનું સ્થાન છું, સલાહકાર છું, અને કુટુંબને પણ આધાર છે. આ વિક્ષેપને લીધે હું ભગવાન મહાવીર પાસેથી જાણેલા ધર્મમાગને બરાબર અનુસરી શકતો નથી. તેથી મેં એ વિચાર કર્યો છે કે, મારાં આ બધાં કુટુંબીઓ સમક્ષ તને બધે ભાર સોંપી, સૌની રજા લઈ કલ્લાક પરામાં જઈ, ત્યાં જ્ઞાતૃવંશી ક્ષત્રિના મહોલ્લામાં આવેલી પૌષધશાળામાં રહું, અને ભગવાન મહાવીર પાસેથી જાણેલા ધર્મમાર્ગને અનુસરું.” [૬૬]
પુત્રે આનંદગૃહપતિની આ વાત વિનયપૂર્વક કબૂલ રાખી. [૬]
એટલે પછી આનંદ શ્રમણોપાસકે સૌ સગાંસંબંધીને કહ્યું, “હે દેવાનુપ્રિયે ! હું મારા પુત્રને કુટુંબને બધો ભાર સોંપુ છું. માટે હવેથી કે મને કશી બાબતમાં પૂછશે નહિ, કે મારી સલાહ માગશે નહિ; તેમ જ ( કૌટુંબિક પ્રસંગેએ મને આવનાર ગણી) મારે માટે ખાનપાન વગેરે કાંઈ તૈયાર કરાવશે નહીં.” [૬૮]
- ત્યાર પછી આનંદ શ્રમણોપાસક જ્યેષ્ઠ પુત્ર તથા મિત્ર, જ્ઞાતિ, સ્વજન-સંબંધી વગેરેની રજા લઈ પિતાને ઘેરથી નીકળી, વાણિજ્યગ્રામમાંથી બહાર આવ્યું તથા કેલ્લાક પરામાં જઈ, ત્યાં જ્ઞાતૃવંશી ક્ષત્રિયના મહેલ્લામાં આવેલી પૌષધશાળામાં આવ્યું. પછી તે મકાનને વાળી ઝાડી, લુછી-પૂછી, મળ-મૂત્રનાં સ્થાને બરાબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org