________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકો આહારને ત્યાગ કરીને મરતા સુધી દોષોને ઘટાડતા જઈ મૃતિ-સમાધિપરાયણ રહેવાનું ] “અપશ્ચિમ ભારણાંતિક સંલેખના વતન લે, ત્યારે તે વ્રત પણ] નીચેના પાંચ અતિચારો વિનાનું જ પાળે. તે જેમકેઃ આ લોકની આસક્તિ રાખવી, પલકની આસક્તિ રાખવી; જીવિતની આસક્તિ રાખવી; મરણની આસક્તિ રાખવી અને કામગોની આસક્તિ રાખવી.” [૫૭]
ભગવાન મહાવીર બેલી રહ્યા ત્યાર પછી આનંદ તેમને વંદન-નમસ્કાર કરી, નીચે પ્રમાણે આગ્રહ (મિ) સ્વીકાર્યો –
“હે ભગવાન! રાજાની આજ્ઞા, ગણુની આજ્ઞા, પિતાનાથી વધુ બળવાનની, દેવની આજ્ઞા, માતાપિતાની આજ્ઞા કે ગુરુજનને ઉપદ્રવ (થતો હોય તેમાંથી તેમને બચાવવા ખાતર કરવું પડે ત્યારે), અને આજીવિકાને અભાવ-એટલાં છ કારણે બાદ કરીને બાકીને બધે જ પ્રસંગે આજથી હું બીજા સંપ્રદાયના માણસને, બીજા સંપ્રદાયને દેવતાઓને, અને બીજા સંપ્રદાયે
૧. “અપશ્ચિમ' એટલે છેવટનું – મરણ વખતનું; મારણાંતિક એટલે મરતા સુધીનું લેખન – અર્થાત્ શરીર અને દેશને ઘસી નાખવા માટે આહારત્યાગ – નું વ્રત.
૨. સંગના ૩. મfમા
૪. જે સમુદાય પોતે જ આખે એકઠા મળી પિતાનું રાજ્ય સંભાળે છે, અને રાજ જે સરમુખત્યાર કે કુલમુખત્યાર રાખતો નથી, તે “ગણ” કહેવાય છે. તે કાળમાં આવાં ગણસત્તાક રાજ્યો ઘણાં હતાં.
૫. ગુનિગ્રહ . ૬. કૃતિશતા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org