SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરના દશ ઉપાસકો આહારને ત્યાગ કરીને મરતા સુધી દોષોને ઘટાડતા જઈ મૃતિ-સમાધિપરાયણ રહેવાનું ] “અપશ્ચિમ ભારણાંતિક સંલેખના વતન લે, ત્યારે તે વ્રત પણ] નીચેના પાંચ અતિચારો વિનાનું જ પાળે. તે જેમકેઃ આ લોકની આસક્તિ રાખવી, પલકની આસક્તિ રાખવી; જીવિતની આસક્તિ રાખવી; મરણની આસક્તિ રાખવી અને કામગોની આસક્તિ રાખવી.” [૫૭] ભગવાન મહાવીર બેલી રહ્યા ત્યાર પછી આનંદ તેમને વંદન-નમસ્કાર કરી, નીચે પ્રમાણે આગ્રહ (મિ) સ્વીકાર્યો – “હે ભગવાન! રાજાની આજ્ઞા, ગણુની આજ્ઞા, પિતાનાથી વધુ બળવાનની, દેવની આજ્ઞા, માતાપિતાની આજ્ઞા કે ગુરુજનને ઉપદ્રવ (થતો હોય તેમાંથી તેમને બચાવવા ખાતર કરવું પડે ત્યારે), અને આજીવિકાને અભાવ-એટલાં છ કારણે બાદ કરીને બાકીને બધે જ પ્રસંગે આજથી હું બીજા સંપ્રદાયના માણસને, બીજા સંપ્રદાયને દેવતાઓને, અને બીજા સંપ્રદાયે ૧. “અપશ્ચિમ' એટલે છેવટનું – મરણ વખતનું; મારણાંતિક એટલે મરતા સુધીનું લેખન – અર્થાત્ શરીર અને દેશને ઘસી નાખવા માટે આહારત્યાગ – નું વ્રત. ૨. સંગના ૩. મfમા ૪. જે સમુદાય પોતે જ આખે એકઠા મળી પિતાનું રાજ્ય સંભાળે છે, અને રાજ જે સરમુખત્યાર કે કુલમુખત્યાર રાખતો નથી, તે “ગણ” કહેવાય છે. તે કાળમાં આવાં ગણસત્તાક રાજ્યો ઘણાં હતાં. ૫. ગુનિગ્રહ . ૬. કૃતિશતા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy