________________
કરવાની મુસીબત આવી પડે છે; કાંઈ નહિ તે અન્ય ધર્મોનું સારુંસારું તે બોલવું જ પડે છે, તથા અન્યધમએને નમવું જ પડે છે. એવા પ્રસંગો સંપ્રદાયનિકાના અપવાદરૂપ ગણીને શાસ્ત્રકારોએ સ્વધર્મીઓની આધ્યાત્મિક શક્તિ વધારી નથી, તેમના આત્માને ચડાવ્યા નથી અને પોતાના સંઘને મજબૂત પણ કર્યો નથી. એમાં કેવળ નબળા લેકેને રક્ષણ આપ્યું છે.
ઉપાસકે જ્યારે જીવનવ્યવહારમાંથી નિવૃત્ત થાય છે, ત્યારે લોકો સાથેનો એમને સંબંધ ઓછો થઈ જાય છે. આત્મોન્નતિ માટેનું મેટામાં મોટું વાતાવરણ તેઓ બેઈ બેસે છે. ભિક્ષા દેનાર અને ઉપદેશ સાંભળવા આવનાર લોકે ઉપરાંત અન્ય સમાજ સાથેનો એમને સંબંધ તૂટી જાય છે. પિંડપાત જેટલી જ સામાન્ય સેવા લેવી, અને આવે તેને શાસ્ત્ર પ્રમાણે ઉપદેશ સંભળાવવો, આટલું સંકુચિત જીવન થવાથી સમાજસેવાનું વિશાળ ક્ષેત્ર એમને માટે બંધ થઈ જાય છે. હંમેશાં જેમની સાથે રહેવું પડે છે એવા બીજા બાવાઓ સાથે શાસ્ત્રચર્ચા અને રહેણુકરણીના કર્મકાંડાની ચર્ચા એટલા જ રસના વિષયો એમને માટે બાકી રહે છે. તેથી સાધુઓનું જીવન જેટલું વ્યાપક અને ભવ્ય થવું જોઈએ તેટલું નથી દેખાતું. તપ કરીને કાયા શુષ્ક, કૃશ અને હાડપિંજર જેવી કરી નાખવી એ જ મોટું ભૂષણ મનાય છે. એનાં જ જ્યાં ત્યાં વખાણ આવે છે. જે ઉપાસકેએ અને શ્રાવકેએ ધામિક ઇતિહાસ લખ્યો હોત તે આ વર્ણનેમાં કાંઈક નવું જ તત્ત્વ આવત. આજની સ્થિતિ એ છે કે મૂળ ધર્મસંસ્થાપક અને એના નિકટવર્તી શિષ્યો, એ બધાના ગયા પછી બસો ત્રણસો વર્ષો બાદ જૂની વાતે સંભારી સંભારીને સાધુઓએ આ બધું લખેલું છે. એટલું પણ એમણે કર્યું એ મનુષ્યસમાજ ઉપર એમને મહાન ઉપકાર છે.
૧. જુઓ પાન ૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org