________________
૧. આનંદ ભગવાને ત્યાં ભેગી થયેલી મોટી પરિષદને ધર્મકથા કહી. [૧૧]
“સંસારમાં જીવને આ ચાર વસ્તુઓ મળવી મુશ્કેલ છેઃ મનુષ્યપણું, ધર્મનું શ્રવણ, શ્રદ્ધા, અને સંયમમાં પુરુષાર્થ સામાન્ય રીતે જ વિવિધ કામનાઓથી મૂઢ બની, તથા અનેક કર્મો કરી, પરિણામે સંસારમાં અનેકવિધ યોનિઓમાં જન્મ-મરણ પામ્યા કરે છે. તેઓ કઈ વાર દેવલોકમાં, કઈ વાર નરકલાકમાં, તે કઈ વાર અસુરલોકમાં પણ જાય છે. પરંતુ રાજાઓ જેમ કામિની-કાંચનથી કંટાળતા નથી, તેમ અધમ કર્મોને વળીવળીને આચરતાં તે પ્રાણીઓ વારંવાર બદલાતી નિઓમાં જન્મતાં કંટાળતાં નથી. કામનાઓ વડે મૂઢ બનેલાં તથા વિવિધ કર્મોવાળાં તે પ્રાણીઓ આમ અત્યંત દુઃખ અને વેદના અનુભવતાં, મનુષ્ય સિવાયની ચેનિઓમાં જ (સામાન્ય રીતે) ભટક્યા કરે છે. તેમ કરતાં કરતાં, ઘણે લાંબે કાળે, કેમે કરીને, કઈ વાર શુદ્ધિ પામેલા વિરલ છ કર્મોને નાશ થઈ શકે તેવું મનુષ્યપણું પ્રાપ્ત કરે છે.
“પરંતુ એ પ્રમાણે દુર્લભ એવું મનુષ્યપણું પામવા છતાંય તપ, ક્ષમા, અને અહિંસામાં પ્રવૃત્તિ કરાવનાર સદુધર્મનું શ્રવણ થવું દુર્લભ છે.
કદાચ કોઈને સદ્ભાગ્યવશાત્ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થાય, તો પણ તેમાં શ્રદ્ધા ઉત્પન્ન થવી અતિ દુર્લભ છે. ઘણય લો કે ધર્મ જાણવા છતાં તેનાથી દૂર રહે છે.
૧. મમારિયાઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org