________________
૧. આનંદ તેમાં આનંદના મિત્રો, જ્ઞાતીલાઓ, અને સગાંસંબંધીઓને રહેતાં હતાં. તે બધાં પણ સમૃદ્ધ અને સંપન્ન હતાં. [૮]
તે વખતે ફરતા ફરતા શ્રમણ ભગવાન મહાવીર વાણિજ્યગ્રામની બહારના દૂઈપલાસ, ચૈત્યમાં આવી ઊતર્યા. તે ભગવાન આદિકર, તીર્થકર, ગુરુ વિના જ સ્વયં તત્વનાં જ્ઞાતા, પુરુષોત્તમ, પુરુષસિંહ, કેત્તમ, લેકનાથ, લેકપ્રદીપ, અભય દેનાર, નેત્ર દેનાર, માર્ગ દેનાર, ધર્મચક્રવર્તી, શઠતારહિત, રાગદ્વેષને જીતનાર, સકલ તત્ત્વના જાણકાર, બુદ્ધ, બેધક, મુક્ત, મેચક, સર્વજ્ઞ, સર્વદશી હતા; તથા કલ્યાણરૂપ – સર્વબાધારહિત – અચલ – રોગરહિત – અનંતપદાર્થવિષયક જ્ઞાનસ્વરૂપ- અક્ષય-વ્યાબાધરહિત તથા પુનરાવૃત્તિરહિત એવી સિદ્ધિગતિ (મુક્તિ)ને પામવાની ઇચ્છાવાળા હતા. [૯]
તેમની સાથે બીજા પણ જતિ-કુલ-બલ-રૂપ-વિનયજ્ઞાન-દર્શન-ચારિત્ર–લજજા–ઓજસ-તેજ-વર્ચસ્વબળ અને યશવાળાં અનેક સાધુઓ અને સાધ્વીઓ હતાં. [૯]
તેમને આવેલા જાણી રાજા જિતશત્રુ અને પ્રજાજને તેમને વંદવા-પૂજવા, સત્કારવા-સન્માનવા, દર્શન કરવા,
• ૧. મિત્ર-જ્ઞાતિ-નિજક-સ્વજન–સંબંધી–પારિજન. અર્થાત આનંદ પણ જ્ઞાતૃવંશી હતો. તેથી જ તે પછીથી પોતાની સાધના માટે જ્ઞાતૃવંશી ક્ષત્રિયોની પૌષધશાળામાં જાય છે.
૨. (તપરૂપી) શ્રમ કરે તે પ્રમાણે. અર્થાત ગૃહત્યાગી તપસ્વી. *
૩. આનંદ શ્રાવકના આખ્યાનમાં આચાર્ય હેમચંદ્ર “પૂતિલાશ” નામ આપે છે.
૪. મૂળમાં ચૌદ હજાર સાધુઓ અને છત્રીસ હજાર સાધ્વીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org