SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. આનંદ તેમાં આનંદના મિત્રો, જ્ઞાતીલાઓ, અને સગાંસંબંધીઓને રહેતાં હતાં. તે બધાં પણ સમૃદ્ધ અને સંપન્ન હતાં. [૮] તે વખતે ફરતા ફરતા શ્રમણ ભગવાન મહાવીર વાણિજ્યગ્રામની બહારના દૂઈપલાસ, ચૈત્યમાં આવી ઊતર્યા. તે ભગવાન આદિકર, તીર્થકર, ગુરુ વિના જ સ્વયં તત્વનાં જ્ઞાતા, પુરુષોત્તમ, પુરુષસિંહ, કેત્તમ, લેકનાથ, લેકપ્રદીપ, અભય દેનાર, નેત્ર દેનાર, માર્ગ દેનાર, ધર્મચક્રવર્તી, શઠતારહિત, રાગદ્વેષને જીતનાર, સકલ તત્ત્વના જાણકાર, બુદ્ધ, બેધક, મુક્ત, મેચક, સર્વજ્ઞ, સર્વદશી હતા; તથા કલ્યાણરૂપ – સર્વબાધારહિત – અચલ – રોગરહિત – અનંતપદાર્થવિષયક જ્ઞાનસ્વરૂપ- અક્ષય-વ્યાબાધરહિત તથા પુનરાવૃત્તિરહિત એવી સિદ્ધિગતિ (મુક્તિ)ને પામવાની ઇચ્છાવાળા હતા. [૯] તેમની સાથે બીજા પણ જતિ-કુલ-બલ-રૂપ-વિનયજ્ઞાન-દર્શન-ચારિત્ર–લજજા–ઓજસ-તેજ-વર્ચસ્વબળ અને યશવાળાં અનેક સાધુઓ અને સાધ્વીઓ હતાં. [૯] તેમને આવેલા જાણી રાજા જિતશત્રુ અને પ્રજાજને તેમને વંદવા-પૂજવા, સત્કારવા-સન્માનવા, દર્શન કરવા, • ૧. મિત્ર-જ્ઞાતિ-નિજક-સ્વજન–સંબંધી–પારિજન. અર્થાત આનંદ પણ જ્ઞાતૃવંશી હતો. તેથી જ તે પછીથી પોતાની સાધના માટે જ્ઞાતૃવંશી ક્ષત્રિયોની પૌષધશાળામાં જાય છે. ૨. (તપરૂપી) શ્રમ કરે તે પ્રમાણે. અર્થાત ગૃહત્યાગી તપસ્વી. * ૩. આનંદ શ્રાવકના આખ્યાનમાં આચાર્ય હેમચંદ્ર “પૂતિલાશ” નામ આપે છે. ૪. મૂળમાં ચૌદ હજાર સાધુઓ અને છત્રીસ હજાર સાધ્વીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy