________________
२० ભગવાન મહાવીરના દશ ઉપાસકે
મુખવાસની બાબતમાં –] “એલચી, લવંગ, કપૂર, કકોલ અને જાયફળ – એ પાંચ સુગંધી દ્રવાળા તાંબૂલ સિવાય બીજા મુખવાસને હું ત્યાગ કરું છું.” [૪૨]
(૩) પિતાના શરીર વગેરે કશાના પ્રયજન વિનાની – વ્યર્થ હોવા છતાં પાપબંધન ઊભું કરનારી ચાર પ્રકારની
અનર્થદંડ” કહેવાતી પ્રવૃત્તિઓને ત્યાગ. તે ચાર પ્રકારો જેમકે –
૧. ઈષ્ટ વસ્તુ મળે, અનિષ્ટ વસ્તુ દૂર થાય એવી કલ્પનાઓ – ચિંતન કરવાં તથા હિંસા, અસત્ય, ચોરી અને વિષયસંરક્ષણ રૂપી પાપપ્રવૃત્તિઓના ઘાટ ઘડવા –એ વગેરે
અપધ્યાન', ૨. કુતૂહલને કારણે ગીત-નૃત્ય-નાટક જોવાં, કામશાસ્ત્રનું પરિશીલન કરવું, ઘત-મદ્ય-કીડા–વેર, સ્ત્રીખાનપાન–દેશ-રાજકારણ સંબંધી નકામી વાતચીત, રોગ અને શ્રમ સિવાય લાંબો કાળ સૂઈ રહેવું વગેરે “પ્રમાદ”; ૩. જીવહિંસામાં કારણભૂત થાય તેવાં ઘંટી-ખાંડણિયે–કેશ–કેદાળી–શસ્ત્ર વગેરે સાધનની વ્યાવહારિક આપલે રૂપી હિંસપ્રદાન', ૪. પશુઓને પલોટવાં, ખેતર ખેડવાં, પશુને ખસી કરવાં વગેરે પાપકર્મોની સલાહ આપવા રૂપી “પાપકર્મોપદેશ.” [૪૩]
[(૪) સામાયિક વ્રત. અર્થાત્ ખોટાં ચિંતન અને સંકલપને ત્યાગ કરી, કાયિક તથા વાચિક પાપકર્મોને
૧. અહીં સુધીનાં ત્રણ શિક્ષાત્રતાને “ગુણવત” પણ કહે છે. ગૃહસ્થનાં મૂળ પાંચ અણુવ્રતોને તે ગુણકારક – ઉપયોગી છે
૨. પા. ૧૨, ને. ૬માં જણાવ્યા પ્રમાણે આવા [ ] કેંસમાં હવે પછી મેલાં બાકીનાં ચાર શિક્ષાવ્રતોને પણ મૂળમાં નામથી ઉલ્લેખ નથી; પરંતુ પછી તેમના વર્ણવેલા અતિચારો ઉપરથી તેમને અહીં સમજી લેવાનાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org