SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ २० ભગવાન મહાવીરના દશ ઉપાસકે મુખવાસની બાબતમાં –] “એલચી, લવંગ, કપૂર, કકોલ અને જાયફળ – એ પાંચ સુગંધી દ્રવાળા તાંબૂલ સિવાય બીજા મુખવાસને હું ત્યાગ કરું છું.” [૪૨] (૩) પિતાના શરીર વગેરે કશાના પ્રયજન વિનાની – વ્યર્થ હોવા છતાં પાપબંધન ઊભું કરનારી ચાર પ્રકારની અનર્થદંડ” કહેવાતી પ્રવૃત્તિઓને ત્યાગ. તે ચાર પ્રકારો જેમકે – ૧. ઈષ્ટ વસ્તુ મળે, અનિષ્ટ વસ્તુ દૂર થાય એવી કલ્પનાઓ – ચિંતન કરવાં તથા હિંસા, અસત્ય, ચોરી અને વિષયસંરક્ષણ રૂપી પાપપ્રવૃત્તિઓના ઘાટ ઘડવા –એ વગેરે અપધ્યાન', ૨. કુતૂહલને કારણે ગીત-નૃત્ય-નાટક જોવાં, કામશાસ્ત્રનું પરિશીલન કરવું, ઘત-મદ્ય-કીડા–વેર, સ્ત્રીખાનપાન–દેશ-રાજકારણ સંબંધી નકામી વાતચીત, રોગ અને શ્રમ સિવાય લાંબો કાળ સૂઈ રહેવું વગેરે “પ્રમાદ”; ૩. જીવહિંસામાં કારણભૂત થાય તેવાં ઘંટી-ખાંડણિયે–કેશ–કેદાળી–શસ્ત્ર વગેરે સાધનની વ્યાવહારિક આપલે રૂપી હિંસપ્રદાન', ૪. પશુઓને પલોટવાં, ખેતર ખેડવાં, પશુને ખસી કરવાં વગેરે પાપકર્મોની સલાહ આપવા રૂપી “પાપકર્મોપદેશ.” [૪૩] [(૪) સામાયિક વ્રત. અર્થાત્ ખોટાં ચિંતન અને સંકલપને ત્યાગ કરી, કાયિક તથા વાચિક પાપકર્મોને ૧. અહીં સુધીનાં ત્રણ શિક્ષાત્રતાને “ગુણવત” પણ કહે છે. ગૃહસ્થનાં મૂળ પાંચ અણુવ્રતોને તે ગુણકારક – ઉપયોગી છે ૨. પા. ૧૨, ને. ૬માં જણાવ્યા પ્રમાણે આવા [ ] કેંસમાં હવે પછી મેલાં બાકીનાં ચાર શિક્ષાવ્રતોને પણ મૂળમાં નામથી ઉલ્લેખ નથી; પરંતુ પછી તેમના વર્ણવેલા અતિચારો ઉપરથી તેમને અહીં સમજી લેવાનાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004867
Book TitleBhagvana Mahavira na Das Upasako
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1948
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy