________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકો
તે પરું મોટાં મકાનેને લીધે મેટું, ભયરહિત હેવાથી સ્થિર, અને ધનધાન્યની વિભૂતિ વડે સમૃદ્ધ હતું. આનંદના સાધનરૂપ અનેક વસ્તુઓની છતને લીધે, ત્યાં રહેનારા અને બહારથી આવેલા એમ તમામ લોકે આનંદમાં રહેતા. તેના માર્ગની સીમાઓ સેંકડો અને હજારો હળે વડે દૂર દૂર સુધી ખેડાયેલી, ફળપ તથા બીજ વાવવા ગ્ય હતી. ત્યાં સુંદર આકારવાળાં ચેત્યો, અને સુંદરીઓનાં ક્રીડા સ્થાને આજુબાજુ પથરાયેલાં હતાં. ત્યાં લાંચ ખાનારા, ખીસાકાતરુ, ગુંડાઓ, ચોરે, અને ફાંસિયાઓનું નામ નહોતું. ત્યાં ભિક્ષુકને સારી રીતે ભિક્ષા મળતી. ત્યાં આરામ, ઉદ્યાન, કૂવા, તળાવ, વાવ અને કયારડા પુષ્કળ હતા. વળી તે અનેક જાતવાન ઘેડાએ, મત્ત હાથીઓ, રથના સમૂહે, શિબિકાઓ અને સુખપાલથી ભરેલું હતું, ત્યાંના માર્ગો આવનાર–જનારથી ગાજતા રહેતા. અર્થાત તે ઊંચી આંખ કરીને જેવા ગ્ય, મનને પ્રસન્નતા દેનારું, અને જેનાર દીઠ નવું નવું હતું. [૭]
ઉલ્લેખ છે. મહાવીર ભગવાનનો જન્મ આ પરામાં જ જ્ઞાતૃવંશી ક્ષત્રિય સિદ્ધાર્થને ત્યાં થયો હતો. કલ્પસૂત્રમાં (૨૨) આ બીનાને વસિય-કુરુમે-નયે કહીને વર્ણવી છે. તેને અર્થ પણ “કુંડગ્રામ નગરનો ક્ષત્રિય વિભાગ” થાય. આચારાંગ સૂત્રમાં (૨,૧૫) ઉતરતા સુંદપુર-સંનિવેરા પદ વાપર્યું છે. તેને અર્થ પણ “કુડપુરનું ઉત્તરે આવેલું પરું” કરવો જોઈએ. અહીં ઉપાસકદશા સૂત્રમાં તો વૈશાલિને કુડપુર નામથી સંબોધવાને બદલે વાણિજ્યગ્રામ નામથી સંબેલું છે, અને તેના ઈશાન ખૂણામાં આવેલા કોલ્લાક નામના પરામાં જ્ઞાતૃવંશી ક્ષત્રિયે (આનંદ ઉપાસકનાં મિત્ર-જ્ઞાતિ-નિજક–સ્વજન-સંબંધી --પરિજન) રહેતા હતા, એમ જણાવ્યું છે.
૧. મઢ (વારસાનપ્રવૃત્ત:) !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org