________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે કુતૂહલખાતર, અર્થ પૂછવા, નહીં સાંભળેલું સાંભળવા અને સાંભળેલું શંકારહિત કરવા, પ્રશ્નો પૂછવા, ઘરબાર તજી સાધુ થવા, કે શ્રાવક (ગૃહસ્થોનાં વ્રત લેવા, ભક્તિના રાગથી, કે આચાર માની–એમ જુદાં જુદાં અનેક પ્રયોજનથી ત્યાં આવ્યાં. [.
ભગવાન આવ્યાની વાત આનંદે પણ જાણી. તેને વિચાર આવે કે, આવા અરહંત ભગવતેનું નામ-ગોત્ર સાંભળવાથી પણ મહાફળ થાય છે, એમ કહેવાય છે, તે પછી તેમની પાસે જઈ તેમને વંદન-નમસ્કાર કરીએ, તેમની ઉપાસના કરીએ, તેમનું આય અને ધર્મયુક્ત એક પણ વચન સાંભળીએ, તથા તેમની પાસેથી વિપુલ અર્થ ગ્રહણ કરીએ, તે તે કેટલું બધું કલ્યાણ થાય ? માટે લાવ, હું તે શ્રમણ ભગવાનનાં વંદન-નમસ્કાર કરવા જાઉં, અને તેમની ભલી પેરે ઉપાસના કરું. [૧૦].
આ વિચાર કરી, તે સ્નાનાદિ પરવારી, નિર્મળ વસ્ત્રો તથા ડાં પણ બહુમૂલ આભરણે પહેરી, ઘેરથી માણસોના વૃંદ વડે વીંટળાઈને પગપાળે ત્યાં જવા નીકળ્યો. ત્યાં આવી તેણે ભગવાન પાસે જઈ, તેમની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, તથા નમસ્કાર વગેરે કર્યા. [૧૦]
૧. મૂળમાં તેમને માટે “ કલ્યાણરૂપ, મંગળરૂપ, દેવરૂપ, અને ચૈત્યરૂપ એટલો વિશેષણ વધુ છે.
૨. તે વખતે તેના માથા ઉપર કેરંટવૃક્ષનાં ફૂલની માળાઓવાળું છત્ર ધરવામાં આવ્યું હતું, એવું મૂળમાં વધુ છે.
૩. માયાહ વાહ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org